ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ -9 ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે પ્રખરતા શોધ કસોટી (Prakharta Sodh Kasoti 2024) નું આયોજન કરવામાં આવે છે.
પ્રખરતા શોધ કસોટી અંગેની મુખ્ય વિગતો નીચે મુજબ છે.
⇒પરીક્ષા MCQ (OMR પદ્ધતિ) મુજબ લેવામાં આવશે.
⇒ ઓનલાઇન આવેદનપત્રો ભરવાનો સમયગાળો 22/12/2023 થી 05/01/2024 સાંજે 05.00 કલાક સુધી રહેશે.
⇒પરીક્ષા 09/02/2024 ના રોજ લેવામાં આવશે.
⇒આ કસોટીના પ્રશ્નપત્રમાં 1 થી 100 પ્રશ્નો આપેલા હોય છે. તમામ પ્રશ્નો ફરજીયાત છે. દરેક પ્રશ્નનો 1 (એક) ગુણ છે. પ્રત્યેક સાચા પ્રત્યુત્તરનો 1 ગુણ મળશે. પ્રત્યેક ખોટા પ્રત્યુત્તર માટે ¹/3 ગુણ કપાશે.
⇒અભ્યાસક્રમ ધોરણ – 9 ની કક્ષા પ્રમાણે રહેશે.
⇒પ્રશ્નપત્ર -1 માટેનો સમય સવારે 11:00 કલાક થી 01:00 કલાક અને ત્યારબાદ એક કલાકની રીસેસ રહેશે અને બપોરે 02:00 કલાક થી 04:00 કલાક દરમ્યાન પ્રશ્નપત્ર -2 લેવામાં આવશે.
⇒ફી જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે રૂ.100/- અને વિદ્યાર્થીનીઓ, SC, ST, OBC કેટેગરીના ઉમેદવારો તેમજ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રૂ.80/- રહેશે.
⇒પ્રશ્નપત્ર -1 અને પ્રશ્નપત્ર -2 ના કુલ 200 ગુણમાંથી પર્સન્ટાઇલ પ્રમાણે પ્રથમ 1000 વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા પ્રત્યેક વિદ્યાર્થી દીઠ રૂ.1000/- પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે.
Prakharta Sodh Kasoti 2024
ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો. : Apply Now
ધો.9 ના તમામ વિષયોની MCQ ક્વિઝ ટેસ્ટ આપવા માટે અહી ક્લિક કરો. Click Here
પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનો અભ્યાસક્રમ, પરિક્ષા પદ્વતિ અને માળખુ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.