ધો.10 વિજ્ઞાન પ્ર – 2 એસિડ,બેઇઝ અને ક્ષાર intext Questions

std 10 science guide

ધો.10 વિજ્ઞાન ગાઇડ પ્ર – 2 એસિડ,બેઇઝ અને ક્ષાર (std 10 science guide) પાઠયપુસ્તકના Intext ના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર જોવા મળશે.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 18

std 10 science guide

( 1 ) તમને ત્રણ કશનળી આપવામા આવેલ છે. તેમાંની એક નિસ્યંદિત પાણી ધરાવે છે અને બાકીની બે અનુક્રમે એસિડિક અને બેઝિક દ્રાવણ ધરાવે છે. જો તમને માત્ર લાલ લિટમસપેપર આપેલ હોય, તો તમે દરેક કસનળીમાં રહેલ ઘટકોની ઓળખ કેવી રીતે કરશો?

ઉત્તર :-  સૌપ્રથમ ત્રણ કસનળીને A,B અને C થી ચિહનિત કરો. કસનળી A,B અને C માં રાખેલ દ્રાવણમાંંથી એક એક ટીપુ લાલ લિટમસપેપર પર નાખો.જે કસનળીના દ્રાવાણનુ ટીપુ લાલ લિટમસપેપરને ભુરુ બનાવે છે. તે કસનળીમાં બેઇઝ હશે તેમ કહેવાય.હવે બાકી રહેતી કસનળીના દ્રાવણમાંથી એક એક ટીપુ લઇ તેમા બેઇઝના દ્રાવણનુ એક એક ટીપુ નાખો. જે કસનળીના દ્રાવણનુ ટીપુ બેઇઝના દ્રાવણના ટીપા સાથે મિશ્ર થઇ રંગીન બને તે એસિડ છે તેમ કહેવાય.અને જે મિશ્રિત ટીપાના રંગમાં કોઇ ફેરફાર થાય નહિ તે નિસ્યંંદિત પાણી છે એમ કહેવાય.આ રીતે ત્રણેય કસનળીમાં રહેલા ઘટકોની પરખ કરી શકાય.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 22

std 10 science guide

( 1 ) શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ?

ઉત્તર :-  દહીં અને ખાટા પદાર્થો એસિડ ધરાવે છે, જે પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે છે અને ઝેરી પદાર્થો બનાવે છે. તે માનવ શરીર માટે નુકશાનકારક હોવાથી દહીં અને તેના જેવા બીજા ખાટા પદાર્થો ને પિત્તળ કે તાંબાના વાસણો માં રાખવા ન જોઇએ.

( 2 ) સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ મુક્ત થાય છે? ઉદાહરણ દ્વારા સમજાવો. આ વાયુની હાજરીની કસોટી તમે કઈ રીતે કરશો?

ઉત્તર :-ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે.

દા.ત. Zn(s) + 2HCl(aq)  →   ZnCl2(aq)  + H2(g)

હાઈડ્રોજન વાયુની હાજરીની કસોટી કરવા માટે સળગતી દિવાસળી કે મીણબત્તીને જ્યાં હાઈડ્રોજન વાયુ મુક્ત થાય છે, તે કસનળીના મુખ પાસે રાખતા મુક્ત થતો હાઈડ્રોજન વાયુ ધડાકા સાથે સળગે છે.

( 3 ) ધાતુનું એક સંયોજન A મંદ હાઈડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને ઊભરા ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. જો ઉત્પન્ન થતા સંયોજનો પૈકી એક કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો.

ઉત્તર :-ધાતુનું સંયોજન  A એ CaCO3 છે. ઉદભવતો વાયુ એ CO2 છે.

સમતોલિત સમીકરણ :-

CaCO3(s) + 2HCl(aq)   →  CaCl2(aq)  +  CO2(g) + H2O(l)

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 25

std 10 science guide

( 1 ) શા માટે HCl, HNO3 વગેરે જલીય દ્રાવણોમાં એસિડિક લક્ષણો ધરાવે છે, જ્યારે આલ્કોહોલ તેમજ ગ્લુકોઝ જેવા સંયોજનોના દ્રાવણો એસિડિક લક્ષણો ધરાવતા નથી?

ઉત્તર : HCl, HNO3 વગેરે જલીય દ્રાવણમાં H+ (aq) આયન મુક્ત કરે છે. આથી તેઓના જલીય દ્રાવણ એસિડિક લક્ષણો ધરાવે છે. જ્યારે આલ્કોહોલ તેમજ ગ્લુકોઝ વગેરે જલીય દ્રાવણોમાં H+ (aq) આયન મુક્ત કરતા નથી. આથી તેઓના જલીય દ્રાવણ એસિડિક લક્ષણો ધરાવતા નથી.

( 2 ) શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે?

ઉત્તર : એસિડ જ્યારે પાણીમાં ઓગળીને દ્રાવણ બનાવે છે. ત્યારે એસિડનું આયનીકરણ થાય છે. પરિણામે ઉત્પન્ન થતાં આયનોની હાજરીને કારણે તેમાંથી વિદ્યુતનું વહન થાય છે.

( 3 ) શા માટે શુષ્ક HCl વાયુ શુષ્ક લિટમસ પેપર નો રંગ બદલતો નથી?

ઉત્તર : શુષ્ક HCl વાયુ એ H+ (aq) આયન ઉત્પન્ન કરી શકતો નથી. આથી તે એસિડિક લક્ષણો ધરાવતો નથી. આથી તે લિટમસ પેપર પર અસર કરતો નથી. આથી લિટમસપેપર નો રંગ બદલાતો નથી.

( 4 ) એસિડને મંંદ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવાની, નહિ કે પાણીને એસિડમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે.?

ઉત્તર :- સાંદ્ર એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે છે અને દાઝી શકાય છે. ઘણી વખત અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર તૂટી પણ શકે છે. આથી એસિડને મંદ કરવા માટે એસિડમાં પાણી ઉમેરવાને બદલે એસિડને હંમેશા પાણીમાં ખૂબ જ ધીરે ધીરે હલાવતા રહીને ઉમેરવો જોઈએ. જેથી ઉત્પન્ન થતી ઉષ્મા સમગ્ર પાણીમાં પ્રસરી જાય છે પરિણામે કોઈ હાનિ થતી નથી.

( 5 ) જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઈડ્રોનિયમ આયનો (H3O+)ની સાંદ્રતાને કેવી રીતે અસર થાય છે?

ઉત્તર :- જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે એકમ કદદીઠ હાઈડ્રોનિયમ આયનો (H3O+)ની સાંદ્રતામાં ઘટાડો થાય છે.

( 6 ) જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં વધુ પ્રમાણમાં બેઈઝ ઓગાળવામાં આવે ત્યારે હાઈડ્રોક્સાઈડ (OH)આયનોની સાંદ્રતાને કેવી રીતે અસર થાય છે?

ઉત્તર :- જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં વધુ પ્રમાણમાં બેઈઝ ઓગાળવામાં આવે ત્યારે એકમ કદદીઠ હાઇડ્રોક્સાઇડ આયનો (OH)ની સાંદ્રતામાં વધારો થાય છે.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 28

std 10 science guide

( 1 ) તમારી પાસે બે દ્રાવણ A અને B છે. દ્રાવણ Aની pH 6 અને દ્રાવણ Bની pH 8 છે. કયા દ્રાવણમાં હાઈડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે? આ પૈકી કયું દ્રાવણ એસિડિક અને કયું બેઝિક છે?

ઉત્તર :- દ્રાવણ A ની pH 6 છે તેથી તે એસિડિક છે. તેમાં હાઈડ્રોજન આયન ની સાંદ્રતા 10-7M કરતા વધુ હશે. દ્રાવણ B ની pH 8 છે તેથી તે બેઝિક છે. તેમાં હાઈડ્રોજન આયન ની સાંદ્રતા   10-7M કરતા ઓછી હશે.

( 2 ) H+ આયની સાંદ્રતાની દ્રાવણના સ્વભાવ પર શી અસર થાય છે?

ઉત્તર :- જે દ્રાવણમાં H+આયનની સાંદ્રતા વધુ હશે તે દ્રાવણ એસિડિક સ્વભાવ ધરાવશે અને જે દ્રાવણમાં H+આયન ની સાંદ્રતા ઓછી હશે તે દ્રાવણ બેઝિક સ્વભાવ ધરાવશે.

( 3 ) શું બેઝિક દ્રાવણો પણ H+આયન ધરાવે છે? જો હા તો તેઓ શા માટે બેઝિક હોય છે?

ઉત્તર :- હા, બેઝિક દ્રાવણો પણ H+આયન ધરાવે છે. પરંતુ બેઝિક દ્રાવણોમાં વધુ પ્રમાણમાં OH આયનો હોવાથી તેઓ સ્વભાવે બેઝિક હોય છે.

( 4 )તમારા મત મુજબ ખેડૂત માટીની કઈ પરિસ્થિતિમાં તેના ખેતરની માટીમાં ક્વિક લાઈમ( કેલ્શિયમ ઓક્સાઈડ) અથવા ફોડેલો ચૂનો (કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ) અથવા ચાક( કેલ્શિયમ કાર્બોનેટ) નો ઉપયોગ કરશે?

ઉત્તર :- ખેતરની માટીની pH જ્યારે 5 થી ઓછી હોય ત્યારે એસિડિક ગુણ ધરાવે છે. આ એસિડિક માટીને તટસ્થ કરવા માટે ખેડૂત તેમાં બેઝિક પદાર્થો જેવા કે ક્વિક્લાઇમ, ફોડેલો ચૂનો કે ચાક ઉમેરે છે.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 33

std 10 science guide

( 1 ) CaOCl2 સંયોજનનું સામાન્ય નામ શું છે?

ઉત્તર :- CaOCl2 સંયોજનનું સામાન્ય નામ બ્લીચિંગ પાઉડર છે.

( 2 ) એવા પદાર્થનુ નામ આપો કે જેની ક્લોરિન સાથેની પ્રક્રિયાથી વિરંજન પાઉડર મળે છે.

ઉત્તર :- કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ક્લોરિન સાથેની પ્રક્રિયાથી વિરંજન પાઉડર બનાવે છે.

Ca(OH)2 + Cl2  →  CaOCl2     +  H2O

( 3 ) સખત પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી સંયોજનનું નામ આપો.

ઉત્તર :- સોડિયમ કાર્બોનેટ(Na2CO3 )

( 4 ) સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણને ગરમ કરતાં શું થશે? તેમાં થતી પ્રક્રિયા માટે સમીકરણ દર્શાવો.

ઉત્તર :- સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણને ગરમ કરતાં સોડિયમ કાર્બોનેટ, પાણી અને કાર્બન ડાયોકસાઇડ પ્રાપ્ત થાય છે.

2NaHCO3(s) → Na2CO3(s) + H2O(l) + CO2(g)

( 5 ) પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો.

ઉત્તર :-

CaSO4 .½H2O (s) +  1 ½H2O(g)  →  CaSO4. 2H2O (s)

પ્લાસ્ટર ઓફ પેરિસ                                        જિપ્સમ


std 10 science guide

ધો.10 વિજ્ઞાન નવનીત(ગાઇડ) :- પાઠયપુસ્તકના Intext  તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  જોવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

પ્ર -1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો 

પ્ર – 13 આપણુ પર્યાવરણ

પ્ર – 5 જૈવિક ક્રિયાઓ

Plz share this post

Leave a Reply