Std 10 Social Science Ch 3 MCQ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન - પ્રકરણ 3: ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન

પ્રકરણ - 3: ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય

📌 આ પેજ પર તમને શું મળશે અને તેનાથી શું લાભ થશે?
  • વિભાગવાર સ્વ-મૂલ્યાંકન: ટોપિક વાઇઝ અથવા સમગ્ર પ્રકરણ માટે અલગ-અલગ ટેસ્ટ આપવાની સુવિધા.
  • બોર્ડ પરીક્ષાની શ્રેષ્ઠ તૈયારી: GSEB / NCERT ની નવીનતમ પદ્ધતિ મુજબના અગત્યના MCQ પ્રશ્નોનો સચોટ મહાવરો.
  • રેન્ડમ પ્રશ્નો: ફરીથી ક્વિઝ આપશો ત્યારે પ્રશ્નોનો ક્રમ અને વિકલ્પોનો ક્રમ આપમેળે બદલાઈ જશે એટલે વિદ્યાર્થીઓને સારો મહાવરો થઈ શકશે.
  • ત્વરિત પરિણામ: દરેક પ્રશ્ન પછી સાચો અને ખોટો જવાબ તરત જ ઇમોજીસ અને રંગ સાથે જાણી શકાશે.

પ્રશ્ન લોડ થઈ રહ્યો છે...

તમારું પરિણામ -

સ્કોર: 0 / 0
સાચા: 0
ખોટા: 0

નોંધ: આ ઓનલાઇન ક્વિઝમાં ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ 3 "ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય" ના બોર્ડ પરીક્ષા માટે ઉપયોગી એવા તમામ 155 NCERT આધારિત પ્રશ્નો આવરી લેવામાં આવ્યા છે.
📚 પ્રકરણ સારાંશ: ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય

🏛️ 1. શિલ્પ અને સ્થાપત્યની વ્યાખ્યા

  • શિલ્પકલા: શિલ્પી પોતાના મનના ભાવોને છીણી અને હથોડી વડે પથ્થર, લાકડું કે ધાતુ પર કંડારીને સુંદર આકાર આપે તેને શિલ્પકલા કહે છે.
  • સ્થાપત્યકલા: 'સ્થાપત્ય' માટે સંસ્કૃતમાં 'વાસ્તુ' શબ્દ વપરાય છે. મકાનો, નગરો, કૂવા, કિલ્લાઓ, મંદિરો અને સ્તૂપો વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે.

🏙️ 2. પ્રાચીન ભારતનું નગર આયોજન (હડપ્પીય સંસ્કૃતિ)

પ્રાચીન ભારત નગર આયોજનમાં નિપુણ હતું. મુખ્ય નગરોને ૩ ભાગમાં વહેંચવામાં આવતા:

  • શાસક અધિકારીઓનો ગઢ (સિટાડલ): ઊંચાઈ પર બાંધવામાં આવતો.
  • અન્ય અધિકારીઓનો ઉપલું નગર: રક્ષણાત્મક દીવાલોથી સુરક્ષિત, ૨-૫ ઓરડાવાળાં મકાનો.
  • સામાન્ય પ્રજાનું નીચલું નગર: હાથ-ઘડેલી ઈંટોના બનેલા મકાનો.
નગરનું નામમુખ્ય વિશિષ્ટતા / લાયકાત
મોહેં-જો-દડોઆયોજનબદ્ધ મકાનો, ભૂગર્ભ ગટર યોજના (વિશ્વમાં ક્રીટ ટાપુ સિવાય માત્ર અહીં) અને જાહેર સ્નાનાગાર.
હડપ્પાસિંધુ ખીણની સંસ્કૃતિના મુખ્ય મથક તરીકે જાણીતું, ધાન્યના ભંડારો મળ્યા.
ધોળાવીરા (કચ્છ)ત્રિસ્તરીય નગર રચના, વરસાદી પાણીના સંગ્રહની ઉત્તમ વ્યવસ્થા (Water Harvesting System).
લોથલ (અમદાવાદ)પ્રાચીન સમયનું સમૃદ્ધ બંદર, વહાણ લાંગરવા માટેનો 'ધક્કો' (Dockyard) મળી આવ્યો.

☸️ 3. મૌર્યકાલીન અને ગુપ્તકાલીન સ્થાપત્ય

  • સ્તૂપ: ભગવાન બુદ્ધના અસ્થિ કે અવશેષોને દાબડામાં મૂકી તેના પર બનતું અર્ધગોળાકાર ચણતર. સાંચીનો સ્તૂપ (મધ્ય પ્રદેશ) સૌથી જાણીતો છે.
  • મૌર્યકાલીન સ્તંભલેખો: એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલા. સારનાથનો સ્તંભ (સિહંની ૪ આકૃતિઓ) ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે.
  • ગુપ્તયુગ: કલાનો 'સુવર્ણયુગ' ગણાય છે (મંદિરો, મૂર્તિઓ અને ગુફા સ્થાપત્યનો વિકાસ).

🗿 4. ગુફા, મંદિર અને મસ્જિદ સ્થાપત્ય

  • પ્રખ્યાત ગુફાઓ: અજંતા-ઈલોરા અને એલિફંટાની ગુફાઓ (મહારાષ્ટ્ર), ત્રિમૂર્તિની મૂર્તિ, ઈલોરાનું **કૈલાશ મંદિર** (એક જ પથ્થર કોતરીને બનાવેલું).
  • ગુજરાતની ગુફાઓ: જૂનાગઢ, ખંભાલીડા (રાકોટ), તળાજા, ઢાંક, સાના અને કડીયાડુંગરની ગુફાઓ.
  • દ્રવિડ શૈલીના મંદિરો: તંજાવુરનું **બૃહદેશ્વર મંદિર** (ચોલ વંશ), કોણાર્કનું સૂર્યમંદિર (ઓડિશા - રથમંદિર).
  • ગુજરાતના મંદિરો: મોઢેરાનું સૂર્યમંદિર (૧૦૨૬ માં ભીમદેવ પહેલાએ બંધાવ્યું), સોમનાથ મંદિર, દ્વારકાધીશ મંદિર.
  • મુસ્લિમ સ્થાપત્ય: કુતુબમિનાર (દિલ્હી), તાજમહેલ (આગ્રા), અટાલા મસ્જિદ અને અમદાવાદના સ્થાપત્યો (જામા મસ્જિદ, સીદી સૈયદની જાળી).

🏰 5. ગોપુરમ અને ગુજરાતની વાવ સ્થાપત્ય

દક્ષિણ ભારતના મંદિરોના ભવ્ય અને કલાત્મક પ્રવેશદ્વારને 'ગોપુરમ' કહે છે.

  • ગુજરાતની પ્રખ્યાત વાવ:
    રાણકી વાવ (પાટણ): રાણી ઉદયમતીએ બંધાવી (UNESCO વર્લ્ડ હેરિટેજ સાઇટ).
    અડાલજની વાવ (ગાંધીનગર): રાણી રૂડાબાઈએ બંધાવી.
    અન્ય: અડી-કડી વાવ (જૂનાગઢ), હીરા ભાગોળ (ડભોઈ).