STD 10 SCIENCE CH-4 ધો.10 વિજ્ઞાન નવનીત PDF (ગાઇડ) પ્ર – કાર્બન અને તેના સંયોજનો (std 10 science ch 4) પાઠયપુસ્તકના Intext ના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો આપવામા આવ્યા છે.
નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.
Intext પ્રશ્નોત્તર [પા.પુ.પાના નં . 61]
પ્રશ્ન 1. CO2 સૂત્ર ધરાવતા કાર્બન ડાયોક્સાઈડ નું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું થશે?
ઉત્તર :-
પ્રશ્ન 2. સલ્ફરના આઠ પરમાનુઓથી બનેલ સલ્ફર અણુનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું થશે? (સૂચન : સલ્ફરના આઠ પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને ચક્ર બનાવે છે.)
ઉત્તર :-
Intext પ્રશ્નોત્તર [પા.પુ.પાના નં . 68–69]
પ્રશ્ન 1. પેન્ટેન માટે તમે કેટલા બંધારણીય સમઘટકો દોરી શકો?
ઉત્તર :-
પ્રશ્ન 2. કાર્બનના બે ગુણધર્મો કયા છે, જેના કારણે આપણી ચારેય તરફ કાર્બન સંયોજનોની વિશાળ સંખ્યા આપણે જોઈએ છીએ?
ઉત્તર :- કાર્બન વધુ સંખ્યામાં સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે, જે નીચેનાં પરિબળો પર આધાર રાખે છેઃ
(1) કાર્બનનો કેટેનેશન ગુણઃ- કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવતો હોવાથી ખૂબ જ વધુ સંખ્યામાં અણુઓ (સંયોજનો) બને છે. કાર્બનના આ ગુણધર્મને કેટેનેશન કહે છે. → આ સંયોજનો કાર્બનની લાંબી શૃંખલા, કાર્બનની શાખિત શૃંખલા અથવા વલયોમાં ગોઠવાયેલા કાર્બન પરમાણુઓ ધરાવે છે.
→ કાર્બન પરમાણુ એક્લબંધ અથવા દ્વિબંધ અથવા ત્રિબંધ દ્વારા પણ અન્ય પરમાણુઓ સાથે જોડાઈ શકે છે. → જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુઓ માત્ર એક્લબંધથી જોડાયેલા હોય તેવાં કાર્બનનાં સંયોજનોને સંતૃપ્ત સંયોજનો (Saturated Compounds) કહે છે.→ જે કાર્બનિક સંયોજનોમાં બે કે તેથી વધુ કાર્બન પરમાણુઓ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તેવાં કાર્બનનાં સંયોજનોને અસંતૃપ્ત સંયોજનો (Unsaturated Compounds) કહે છે.
→ કાર્બન સંયોજનોમાં જે હદે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે, તે કોઈ બીજા તત્ત્વમાં જોવા મળતો નથી. સિલિકોન હાઇડ્રોજન સાથે જે સંયોજનો બનાવે છે, તેમાં સાત અથવા આઠ પરમાણુઓ સુધીની જ શૃંખલા હોય છે. પરંતુ આ સંયોજનો અતિ ક્રિયાશીલ હોય છે.→ કાર્બન – કાર્બન બંધ ખૂબ જ પ્રબળ હોવાથી કાર્બન પરમાણુઓના એકબીજા સાથે જોડાણથી મોટી સંખ્યામાં સ્થાયી સંયોજનો બને છે.
(2) કાર્બનની સંયોજકતા :- કાર્બનની સંયોજક્તા ચાર છે. તેથી તે કાર્બનના અન્ય ચાર પરમાણુઓ અથવા કેટલાક અન્ય એક સંયોજક તત્ત્વોના પરમાણુઓ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. → કાર્બન એ ઑક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરિન તથા અનેક અન્ય તત્ત્વો સાથે વિશિષ્ટ ગુણધર્મોવાળા સંયોજનો બનાવે છે. આ વિશિષ્ટ ગુણધર્મો સંયોજનમાં હાજર રહેલા કાર્બન સિવાયના તત્ત્વ પર પણ આધાર રાખે છે.
→ કાર્બન પરમાણુ મોટા ભાગનાં અન્ય તત્ત્વો સાથે ખૂબ જ પ્રબળ બંધ બનાવે છે, જે સંયોજનોને અપવાદ રૂપે સ્થાયી બનાવે છે. → કાર્બનનું કદ નાનું હોવાથી પરમાણુ કેન્દ્ર દ્વારા ભાગીદારી પામેલા ઇલેક્ટ્રૉન – યુગ્મોને મજબૂતાઈથી જકડી રાખે છે. આથી કાર્બન દ્વારા પ્રબળ બંધોનું નિર્માણ થાય છે. મોટા પરમાણુઓ ધરાવતાં તત્ત્વો દ્વારા બનતા બંધ અત્યંત નિર્બળ હોય છે.
પ્રશ્ન 3. સાયક્લોપેન્ટેનનું સૂત્ર અને ઇલેક્ટ્રૉન – બિંદુ રચના શું થશે?
ઉત્તર : સાયક્લોઆલ્કેનનું સામાન્ય સૂત્ર CnH2n છે. આથી સાયક્લોપેન્ટેનનું આણ્વીય સૂત્ર C5H10 છે.→ સાયક્લોપેન્ટેનનું ઇલેક્ટ્રૉન – બિંદુ નિરૂપણ નીચે મુજબ છે.
પ્રશ્ન 4. નીચે દર્શાવેલ સંયોજનોનાં બંધારણ દોરો. (1) ઇથેનોઇક ઍસિડ (2) બ્રોમોપેન્ટેન (3) બ્યુટેનોન (4) હેક્ઝેનાલ. શું બ્રોમોપેન્ટેનના બંધારણીય સમઘટક શક્ય છે?
ઉત્તર :-
પ્રશ્ન 5.નીચે દર્શાવેલ સંયોજનોનું નામ તમે કેવી રીતે આપશો.?
ઉત્તર :- (1)બ્રોમો ઇથેન (2) મિથેનાલ (3) હેક્ઝા- 1 આઇન અથવા હેક્ઝાઇન
STD 10 SCIENCE CH-4
Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં.71]
પ્રશ્ન 1. ઇથેનોલનું ઇથેનોઇક ઍસિડમાં રૂપાંતર એ શા માટે ઑક્સિડેશન પ્રક્રિયા છે?
ઉત્તર : ઇથેનોલનું ઇથેનોઇક ઍસિડમાં રૂપાંતર નીચેના સમીકરણ દ્વારા દર્શાવી શકાય છે.
→ આ પ્રક્રિયામાં પ્રક્રિયક ઇથેનોલ એક ઑક્સિજન પરમાણુ ધરાવે છે. જ્યારે નીપજ ઇથેનોઇક ઍસિડ બે ઑક્સિજન પરમાણુ ધરાવે છે. આમ, આ પ્રક્રિયા દરમિયાન ઑક્સિજન પરમાણુ ઉમેરાય છે. આથી આ રૂપાંતર ઑક્સિડેશન પ્રક્રિયા છે.
પ્રશ્ન 2. ઑક્સિજન અને ઇથાઇનનું મિશ્રણ વેલ્ડિંગ માટે સળગાવવામાં આવે છે. શું તમે કહી શકો કે શા માટે ઇથાઇન અને હવાના મિશ્રણનો ઉપયોગ થતો નથી?
ઉત્તર : ઇથાઇન એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે.→ જ્યારે તેનું હવાના મિશ્રણ સાથે દહન કરવામાં આવે ત્યારે ખૂબ જ કાળા ધુમાડાવાળી પીળી જ્યોત આપે છે. → આ અપૂર્ણ દહન થવાથી ખૂબ જ ઓછી ઉષ્મા મુક્ત થાય છે, જે વેલ્ડિંગ માટે જરૂરી ઊર્જા કરતાં ઓછી છે. આથી ઇથાઇન અને હવાના મિશ્રણનો ઉપયોગ વૈલ્ડિંગ માટે થતો નથી.
→ જ્યારે ઇથાઇનનું ઑક્સિજન સાથે દહન કરવામાં આવે ત્યારે સંપૂર્ણ દહન થવાથી ખૂબ જ વધુ ઉષ્મા મુક્ત થાય છે, જે વેલ્ડિંગ માટે જરૂરી ઉષ્મા જેટલી હોય છે. આથી ઇથાઇન અને ઓક્સિજનનું મિશ્રણ વેલ્ડિંગ માટે ઉપયોગી છે.
2[CH≡CH]+5O2→4CO2+2H2O+ઉષ્મા અને પ્રકાશ
STD 10 SCIENCE CH-4
Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં.74]
પ્રશ્ન 1. પ્રાયોગિક ધોરણે તમે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક ઍસિડને કેવી રીતે જુદા પાડશો?
ઉત્તર : આલ્કોહોલ અને કાર્બોક્સિલિક ઍસિડ પ્રાયોગિક રીતે નીચેની પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાય છે.
(1) સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કસોટી :- બે જુદી જુદી કસનળીમાં બંને પદાર્થોનો થોડો જથ્થો લઈ, તેમાં સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું દ્રાવણ ઉમેરવામાં આવે છે.→જે કસનળીમાં કાર્બોક્સિલિક ઍસિડનું દ્રાવણ હશે તે કસનળીમાં ઝડપથી CO2 વાયુના ઊભરા આવે છે, જ્યારે ઇથેનોલના દ્રાવણમાં CO2 વાયુના ઊભરા આવતા નથી.
(2) આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ કસોટી :- બે જુદી જુદી ક્સનળીમાં બંને પદાર્થોનો થોડો જથ્થો લઈ, તેમાં આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. → જે કસનળીમાં આલ્કોહોલનું દ્રાવણ હશે તે કસનળીમાં પોટેશિયમ પરમેંગેનેટનો જાંબલી રંગ દૂર થાય છે, જ્યારે કાર્બોક્સિલિક ઍસિડનું દ્રાવણ પોટૅશિયમ પરમેંગેનેટનો રંગ દૂર કરતું નથી.
પ્રશ્ન 2. ઑક્સિડેશનકર્તા એટલે શું?
ઉત્તર : જે પદાર્થો અન્ય પદાર્થોમાં ઑક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય તેને ઑક્સિડેશનકર્તા કહે છે. દા.ત., આલ્કલાઈન પોટેશિયમ પરમેંગેનેટ (KMnO4), ઍસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ (K2Cr2O7)
STD 10 SCIENCE CH-4
Intext પ્રશ્નોત્તર [પા.પુ.પાના નં .76]
પ્રશ્ન 1. શું તમે પ્રક્ષાલકનો ઉપયોગ કરી ચકાસી શકો છો કે પાણી કઠિન છે કે નહિ?
ઉત્તર : ના. કારણ કે પ્રક્ષાલક કઠિન અને નરમ એમ બંને પ્રકારના પાણીમાં ફીણ ઉત્પન્ન કરે છે.
પ્રશ્ન 2. લોકો કપડાં ધોવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે સાબુ ઉમેર્યા પછી લોકો કપડાં પથ્થર પર પછાડે છે કે પાવડી સાથે પછાડે છે. બ્રશથી ઘસે છે અથવા મિશ્રણને વોશિંગ મશીનમાં ક્ષોભિત કરે (ખૂબ જોરથી હલાવે) છે. સાફ કપડાં મેળવવા માટે તેને રગડવાની જરૂર શા માટે પડે છે?
ઉત્તર : સાબુ પાણીનું પૃષ્ઠતાણ ઘટાડે છે. → સાબુનો અધ્રુવીય પૂંછડીવાળો હાઇડ્રોકાર્બન ભાગ એ કપડાં પરના મેલ અથવા તેલના અણુ સાથે આકર્ષાય છે, જ્યારે ધ્રુવીય પૂંછડીવાળો ભાગ એ પાણી પ્રત્યે આકર્ષાય છે. તેથી મિસેલની રચના થાય છે. → આ મિસેલ કપડાં પરથી દૂર કરવા માટે રગડવાની જરૂર પડે છે.
STD 10 SCIENCE CH-4
વિચાર વિસ્તાર અને નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.
Gujarati Nibandhmala
ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1
આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 1
આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 2
આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 3