ધો.10 વિજ્ઞાન પ્ર – 13 આપણુ પર્યાવરણ (std 10 science ch 13) પાઠયપુસ્તકના Intext ના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો આપવામા આવ્યા છે.
પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 260
( 1 ) પોષક સ્તરો એટલે શું ? એક આહારશૃંખલા નુ ઉદાહરણ આપો અને તેમાંના વિવિધ પોષક સ્તરો સમજાવો.
ઉત્તર :- આહાર શૃંખલામાં પોષણના ક્રમિક ચરણ(પગથિયા) ને પોષક સ્તરો કહે છે.નિવસનતંત્રમાં પોષક સ્તર ઊર્જાનું વહન દર્શાવે છે. આહાર શૃંખલા ભક્ષ્ય -ભક્ષક વચ્ચે ના ક્રમિક સંબંધ દર્શાવે છે.
ઘાસ → ઉંદર → સાપ → સમડી
ઉત્પાદક પ્રાથમિક ઉપભોગી દ્વિતીય ઉપભોગી તૃતીય ઉપભોગી
પ્રથમ દ્વિતીય તૃતીય ચતુર્થ
પોષક સ્તર પોષક સ્તર પોષક સ્તર પોષક સ્તર
( 2 ) નિવસનતંત્રમાં વિઘટકો ની ભૂમિકા શું છે?
ઉત્તર :- વનસ્પતિઓ અનેપ્રાણીઓ ના મૃત શરીર તેમજ ઉત્સર્ગદ્રવ્યો પર પોષણ માટે આધારીત સજીવોને વિઘટકો કહે છે. દા.ત. બેક્ટેરિયા અને ફૂગ. તેઓ જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે. આ સરળ અકાર્બનિક દ્રવ્ય વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. તેથી વિઘટકો દ્રવ્યોના ચક્રિય વહનમાં અગત્યની ભૂમિકા ભજવે છે.
પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 262
( 1 ) શા માટે કેટલાક પદાર્થો જૈવ-વિઘટનીય હોય છે અને કેટલાક પદાર્થો જૈવ-અવિઘટનીય હોય છે.?
ઉત્તર :- કેટલાક પદાર્થો જેવા કે કાગળ , શાકભાજીની છાલ વગેરે જીવાણુ કે અન્ય મૃતોપજીવીઓ દ્વારા વિઘટન પામી સરળ સ્વરૂપમાં ફેરવાઇ શકે છે. તે કુદરતી હોવાને કારણે જૈવ વિઘટનીય છે. કેટલાક પદાર્થો જેવા કે પ્લાસ્ટીક , પોલિથીન વગેરે સૂક્ષ્મ જીવોની પ્રવૃતિ દ્વારા વિઘટન પામતા નથી. તે સંશ્લેષિત પદાર્થો હોવાને કારણે જૈવ અવિઘટનીય છે.
( 2 ) એવી બે રીતો દર્શાવો કે જેમાં જૈવવિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે?
ઉત્તર :- જૈવવિઘટનીય પદાર્થો સૂક્ષ્મ જીવોની પ્રવૃત્તિ વડે વિઘટન પામી સરળ દ્રવ્યો પર્યાવરણમાં મુક્ત કરે છે. આ સરળ દ્રવ્યો અન્ય સજીવોના જીવનને ટકાવવા માટે ઉપયોગમાં આવે છે. વિઘટન દરમિયાન મુક્ત થતા કેટલાક વાયુ વાતાવરણને પ્રદૂષિત કરે છે.
( 3 ) એવી બે રીતો દર્શાવોકે જેમાં જૈવઅવિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે?
ઉત્તર :- પેસ્ટીસાઈડ્સ (કીટનાશકો) જેવા જૈવઅવિઘટનીય પદાર્થો ભૂમિ અને પાણીનું પ્રદૂષણ કરે છે. તે સજીવોમાં જૈવિક વિશાલન પ્રેરે છે. જૈવઅવિઘટનીય પદાર્થો નિવસનતંત્ર ના કાર્યો જેવા કે ઊર્જા અને દ્રવ્યોના વહનને અવરોધે છે.
std 10 science ch13
પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 264
( 1 ) ઓઝોન એટલે શું? તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે?
ઉત્તર :- ઓઝોન( O3 ) પારજાંબલી ( UV ) કિરણો ની અસરથી ઓક્સિજનના ત્રણ પરમાણુ વડે બનતો અણુ છે. ઓઝોન વાતાવરણના ઉપલા સ્તર માં એક આવશ્યક કાર્ય કરે છે. આમ છતાં ભૂમિ સ્તરે ઓઝોન એક ઘાતક વિષ છે. ઓઝોન સૂર્યમાંથી આવતા ટૂંકી તરંગલંબાઇ ધરાવતા પારજાંબલી વિકિરણ નું શોષણ કરે છે. આ રીતે તે પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરે છે.
( 2 ) તમે કચરાના નિકાલની સમસ્યા ને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો? કોઈ પણ બે પદ્ધતિઓ ના નામ આપો.
ઉત્તર :- વધેલો ખોરાક(એઠવાડ), શાકભાજીનો કચરો, ફળોની છાલ, સૂકા પર્ણો, અને બગીચાનો કચરો વગેરે જૈવવિઘટનીય કચરાને જમીનમાં ખાડો કરી દાટી દેવામાં આવે છે જેનું વિઘટન થઈ ખાતરમાં રૂપાંતર કરી કચરાનો નિકાલ કરી શકાય. ટીન , ખાલી ડબ્બા, પેપર ગ્લાસ, તૂટેલી વસ્તુઓ વગેરેનું પુનઃચક્રીયકરણ કરવામાં આવે તો નવી વસ્તુઓ બનાવી પુનઃ ઉપયોગ કરી શકાય.
પદ્ધતિઓ ના નામ (1) પુનઃઉપયોગ(REUSE) અને (2) પુનઃચક્રિયકરણ(RECYCLE)
std 10 science ch13