ધો.10 સામાજિક વિજ્ઞાન પ્ર-6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો

ધો.10 સામાજિક વિજ્ઞાન ગાઇડ પ્ર – 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો (std10 social science ch6) પાઠયપુસ્તકના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર જોવા મળશે.

1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો.

(1) તાજમહેલ સ્થાપત્ય કલાનો પરિચય આપો.

ઉત્તર:→ ઈ.સ. 1630 માં અવસાન પામેલી પોતાની બેગમ મુમતાજ મહલ (અર્જુમંદબાનુ) ની યાદમાં મુઘલ બાદશાહ શાહજહાંએ ભવ્ય તાજમહાલ બંધાવ્યો.→ તે આગરામાં યમુના નદીની દક્ષિણે આવેલો છે.

→ ઈ.સ. 1631 માં તાજમહાલનું બાંધકામ શરૂ થયું હતું તે 22 વર્ષ પછી ઈ.સ. 1653 માં પૂર્ણ થયું.→ શાહજહાંએ ભારતીય, ઈરાની, અરબી, તુર્કી અને યુરોપીય કુશળ શિલ્પીઓ રોકીને તાજમહાલનું નિર્માણ કરાવ્યું હતું.

→ દુનિયાના અદ્વિતીય મકબરાઓમાં તેની ગણના થાય છે. એ સમયમાં તેના બાંધકામમાં રૂપિયા સાડા ચાર કરોડ કરતાં વધુ ખર્ચ થયો હતો.

તાજમહાલની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે છે :

→ તાજમહાલ વિશ્વની સાત અજાયબીઓ પૈકીની એક છે.→ તાજમહાલનું નિર્માણ સંગેમરમરના ચબૂતરા ઉપર થયેલું છે.→ તાજમહાલ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ લંબચોરસ આકારે વિસ્તરેલો છે.

→ તાજમહાલનું પ્રવેશદ્વાર આકર્ષક છે. તેની મધ્યમાં ઊંચો ઘુમ્મટ તેમજ તેના ચાર ખૂણા પર નાના ઘુમ્મટ છે.→ તાજમહાલની મધ્યમાં મુમતાજની કબર છે. કબરની આજુબાજુ ખૂબ જ સુંદર કલાત્મક અષ્ટકોણીય જાળી છે.

→ તાજમહાલની એક મહે૨ાબ (દીવાલ) પર આ વિધાન અંકિત થયે છે:‘સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.’→ અદ્દભુત સૌંદર્ય ધરાવતો તાજમહાલ ભારતની સ્થાપત્યકલાના વારસાના ગૌરવ છે.→ તાજમહાલ દેશ-વિદેશના પ્રવાસીઓના અનહદ આકર્ષણ કેન્દ્ર છે.

(2) ગુજરાતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો વિશે નોંધ લખો.

ઉત્તર:ગુજરાતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો નીચે પ્રમાણે છે.

ધોળાવીરા અને લોથલ:→ આ બંને સ્થળો સિંધુખીણની સભ્યતાનાં નગરો હતાં.→ ધોળાવીરા ગુજરાતમાં કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે. તે તેની આદર્શ નગ૨ ૨ચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે.

→ આજથી આશરે 5000 વર્ષ પહેલાં અહીં ઘરેણાં અને મણકા બનાવવાનાં કારખાનાં હતાં.→ લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં, અમદાવાદ-ભાવનગર હાઇ-વે નજીક આવેલું છે.→ તે પ્રાચીન સમયમાં વેપાર-વાણિજ્યથી ધમધમતું અને સગવડોવાળું હડપ્પીય સંસ્કૃતિનું બંદર હતું.

2. જૂનાગઢ :જૂનાગઢમાં સમ્રાટ અશોકનો શિલાલેખ, ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ, ઉપરકોટ, જૈનમંદિરો, દામોદર કુંડ, અડીકડીની વાવ, જૂનો રાજમહેલ, નવઘણ કૂવો, બહાઉદ્દીન વઝીરની કબર વગેરે સાંસ્કૃતિક વારસાનાં જોવાલાયક સ્થળો છે. દર વર્ષે મહાશિવરાત્રિએ જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં ભવનાથનો મોટો મેળો ભરાય છે.

અમદાવાદ :અમદાવાદ ગુજરાતનું ઐતિહાસિક શહેર છે. તે ગુજરાતનું પાટનગર હતું.

→ અમદાવાદમાં ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, રાણી રૂપમતિની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયું તળાવ (હોજે કુતુબ), ઝૂલતા મિનારા, હઠીસિંગનાં દેરાં, સીદી સૈયદની જાળી વગેરે જોવાલાયક સ્થાપત્યો છે.→ ઝૂલતા મિનારા સારંગપુર દરવાજા બહાર રાજપુર-ગોમતીપુરમાં આવેલા છે. તે તેની ધ્રુજારીના વણઉકલ્યા રહસ્ય માટે જાણીતા છે.

(3) દિલ્લીના લાલ કિલ્લા વિશે નોંધ લખો.

ઉત્તર :→ મુઘલ બાદશાહ શાહજહાંએ ઈ.સ. 1638 માં દિલ્લીમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો.→ મુઘલ શૈલીમાં બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે.→ તેમાં સુરક્ષાની અદ્યતન પદ્ધતિઓનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.→ લાલ કિલ્લાને કમાન આકારનાં બે પ્રવેશદ્વારો અને આરસના ધુમ્મટો છે.

→ શાહજહાંએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી ‘શાહજહાંનાબાદ’ નામનું નગર વસાવ્યું હતું.→ તેમાં દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ, રંગમહેલ, મુમતાજનો શીશમહલ, ઔરંગઝેબે બંધાવેલી મોતી મસ્જિદ, લાહોરી દરવાજા, મીનાબજાર, મુઘલ ગાર્ડન વગેરેનો સમાવેશ થાય છે.

→ દીવાન-એ-ખાસની ઇમારતને સોના-ચાંદી અને કીમતી પથ્થરોથી સજાવવામાં આવી છે.→ અહીં રંગમહેલ અને શાહી સ્નાનાગાર છે.→ શાહજહાંએ દીવાન-એ-ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક ‘મયૂરાસન’ બનાવડાવ્યું હતું.→ ઈરાનના નાદિરશાહે દિલ્લી પર ચઢાઈ કરી ત્યારે પાછા ફરતી વખતે તે મયૂરાસનને પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો.

→ દિલ્લીનો લાલ કિલ્લો મુઘલ સ્થાપત્યકલાની અદભૂત અને ઉત્કૃષ્ટ ઇમારત છે.→ દર વર્ષે 15 ઑગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત સરકાર તરથી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો :

(1) હમ્પી નગરની સ્થાપત્ય કલાનો પરિચય આપો.

ઉત્તર :→ હમ્પી કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં તુંગભદ્રા નદીના કિનારે આવેલું શહેર છે .→ 14 મી સદીમાં તે વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું શહેર હતું.→ વિજયનગરના શાસકો કલાપ્રેમી હતા. તેમના શાસનકાળ દરમિયાન વિજયનગર રાજ્યમાં સ્થાપત્યની વિશિષ્ટ શૈલી વિકસી હતી.

→ કૃષ્ણદેવરાય પ્રથમના સમય દરમિયાન એ સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી હતી.→ વિશાળ પથ્થરોને કોતરીને બનાવેલ ભવ્ય, ઊંચા અને કલાત્મક સ્તંભો એ વિજયનગર સ્થાપત્ય શૈલીની મુખ્ય વિશિષ્ટતા છે.→ સ્તંભાવલીઓ પર દેવો, મનુષ્યો, પશુઓ, યોદ્ધાઓ, નર્તકીઓ વગેરેનાં સુંદર અને કલાત્મક શિલ્પો કંડારવામાં આવ્યાં છે.

→ કૃષ્ણદેવરાય પ્રથમના સમય દરમિયાન હમ્પીમાં અનેક ભવ્ય સ્થાપત્યોનું નિર્માણ થયું. તેમાં વિઠ્ઠલ મંદિર અને હજારા રામમંદિર મુખ્ય છે.→ વિજયનગરના શાસકોએ બંધાવેલાં વિરુપાક્ષ મંદિર, શ્રીકૃષ્ણનું મંદિર, અચ્યુતરાયનું મંદિર વગેરે મંદિરો હમ્પી નગરની સ્થાપત્યકલાનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે.

(2) ખજુરાહોનાં મંદિરનો પરિચય આપો.

ઉત્તર:→ ખજૂરાહોનાં મંદિરો મધ્ય પ્રદેશમાં છતરપુર જિલ્લાના ખજૂરાહો નામના સ્થળે (ગામમાં) આવેલાં છે.→ ખજૂરાહો ઈ.સ. 905 થી 1050 સુધીના સમયમાં બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હતું.→ ચંદેલ રાજાઓએ અહીં કુલ 80 મંદિરોનું નિર્માણ કર્યું હતું. તેમાંથી આજે માત્ર 25 મંદિરો જ હયાત છે.

→ આ મંદિરો ઉત્તર ભારતની નાગર શૈલીના ઉત્તમ નમૂના છે.→ તે પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ દિશાના ક્ષેત્રસમૂહોમાં વિભાજિત થયેલાં છે.→ આ મંદિરોમાં મોટા ભાગનાં શૈવ મંદિરો છે. કેટલાંક મંદિરો વૈષ્ણવ છે, જ્યારે કેટલાંક જૈનમંદિરો છે.

→ બધાં મંદિરોની રચનાપદ્ધતિ અને શિલ્પવિધાન લગભગ એસમાન છે.→ શરૂઆતના સમયનાં બધાં જ મંદિરો ગ્રેનાઇટ પથ્થરોનાં બનાવેલાં છે.→ તેમાં ચોસઠ યોગિનીનું મંદિર મુખ્ય છે.

→ આ મંદિરની તોરણની આલંકારિક સ્થાપત્ય શૈલી ક્લાકારીગરીનું ઉત્તમ દૃષ્ટાંત છે.→ દેશ-વિદેશના હજારો પ્રવાસીઓ ખજૂરાહોનાં મંદિરોમાં મૂર્ત થયેલી વાસ્તુકલા, શિલ્પકલા અને મૂર્તિકલાનાં શિલ્પો જોઈને આશ્ચર્યચક્તિ થઈ જાય છે.

(3) કોણાર્કનાં સૂર્ય મંદિર વિશે નોંધ લખો.

ઉત્તર :→ કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશા રાજ્યમાં જગન્નાથપુરી જિલ્લામાં બંગાળાના અખાતના દરિયાકિનારે આવેલું છે.→ 13મી સદીમાં ગંગ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં આ મંદિરનું નિર્માણ થયું હતું.→ તે કાળા પથ્થરનું બનાવેલું હોવાથી ‘કાળા પેગોડા’ના નામે ઓળખાય છે.

→ સમગ્ર મંદિરને સાત અશ્વોથી ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.→ આ સ્થને મંદિરના આધારને સૌંદર્ય બક્ષતાં 12 મોટાં પૈડાં છે. તે વર્ષના બાર મહિનાનાં પ્રતીકો છે. દરેક પૈડાને આઠ આરા છે. તે દિવસના આઠ પ્રહર દર્શાવે છે.

→ રૂપાંકનોની વિગત અને વિષયની વિવિધતાની દૃષ્ટિએ કોણાર્કનું સૂર્યમંદિર અજોડ અને અનુપમ છે.→ મંદિરમાં દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારનાં શિલ્પો છે. એ શિલ્પોમાં 13 મી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાનાં દર્શન થાય છે.

→ શિલ્પકલાની દૃષ્ટિએ વિશિષ્ટ સ્થાન ધરાવતું કોણાર્કનું સૂર્યમંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

(4) બૃહદેશ્વર મંદિરનો પરિચય આપો.

ઉત્તર:→ બૃહદેશ્વર મંદિર તમિલનાડુ રાજ્યનાં તાંજોર (થંજાવુર)માં આવેલું છે.→ આ મંદિર ઈ.સ. 1003 થી 1010 ના સમયગાળા દરમિયાન ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું.→ આ મંદિર રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હોવાથી તેને ‘રાજરાજેશ્વર મંદિર’ના નામે પણ ઓળખવામાં આવે છે.

→ આ મંદિર દેવાધિદેવ શિવનું છે.→ શિવ મહાદેવ ગણાતા હોવાથી આ મંદિરને ‘બૃહદેશ્વરનું મંદિર’ કહે છે.→ આ મંદિરનું નિર્માણ દ્રવિડ સ્થાપત્ય શૈલીમાં થયેલું છે.

→ આ મંદિરની લંબાઈ 500 ફૂટ અને પહોળાઈ 250 ફૂટ છે. તેની આસપાસ કોટ બનાવેલો છે. તેનું શિખર જમીનથી લગભગ 200 ફૂટ ઊંચું છે. તે સમયે બૃહદેશ્વર મંદિરની ગણના એક ઊંચા શિખરવાળા મંદિર તરીકે થતી હતી.

→ ભવ્ય શિખર, વિશાળ કદ અને કલાત્મક સુશોભનને કારણે આ મંદિર ભારતીય સ્થાપત્યકલાનો અદ્વિતીય વારસો ધરાવે છે.→ બૃહદેશ્વર મંદિર દક્ષિણ ભારતનાં ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે.

(5) ફતેહપુર સિકરી વિશે નોંધ લખો.

ઉત્તર :→ મુઘલ બાદશાહ અકબરે સુફી સંત સલીમ ચિશ્તીની યાદમાં ઉત્તર પ્રદેશમાં આગરાની પશ્ચિમે 26 માઈલ દૂર ફતેહપુર સિકરી નામનું નવું નગર વસાવ્યું હતું.→ તેણે આ નગરને પોતાની નવી રાજધાની બનાવી હતી.

→ સમ્રાટ અકબરે ફતેહપુર સિકરીમાં નવરત્નો, કલાકારો, વિદ્વાનો, તત્ત્વચિંતકો વગેરેને આશ્રય આપ્યો હતો.→ ઈ.સ. 1569 માં ફતેહપુર સિકરીમાં ઇમારતો બાંધવાનું કાર્ય શરૂ થયું હતું. ઈ.સ. 1572 સુધીમાં અહીં અનેક ઇમારતો બંધાઈ હતી.→ અહીંની ઇમારતોમાં બીરબલનો મહેલ, બીબી રિયમનો સુનહલા મહલ, તુર્કી સુલતાનનો મહેલ, જામે મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો મુખ્ય છે.

→ બુલંદ દરવાજો 41 મીટર પહોળો અને 50 મીટર ઊંચો છે.→ તે દુનિયામાં સૌથી ભવ્ય દરવાજો છે.→ અહીંની અન્ય જાણીતી ઇમારતોમાં જોધાબાઈનો મહેલ, પંચમહલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો (કબર), દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ, જ્યોતિષ મહેલ વગેરેનો સમાવેશ થાય છે.

3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો.

(1) ઈલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપો.

ઉત્તર:→ મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ પાસે ઈલોરાની ગુફાઓમાં 16 નંબરની ગુફામાં કૈલાસમંદિર આવેલું છે.→ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું.→ એક જ પત્થરમાંથી કોતરીને બનાવેલું છે જે 50 મી. લાંબું, 33 મી. પહોળું અને 30 મી. ઊંચું છે. → દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત આ મંદિરની શોભા અવર્ણનીય છે.

(2) એલિફન્ટાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો.

ઉત્તર :મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈથી 12 કિમી દૂર અરબસાગરમાં એલિફન્ટાની ગુફાઓ આવેલી છે.એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા 7 છે.આ જગ્યાને એલિફન્ટા નામ પોર્ટુગીઝોએ આપ્યું. એમણે આ નામ અહીં પથ્થરમાંથી કોતરેલા હાથીના શિલ્પના કારણે આપ્યું છે.

અહીંની ગુફાઓમાં અનેક સુંદર શિલ્પકૃતિઓ કંડારાઈ છે જેમાં ત્રિમૂર્તિ (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ) ની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે. એ ગુફા નં.1 માં આવેલી છે.

ઈ.સ. 1987 માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં એલિફન્ટાને સ્થાન આપવામાં આવ્યું છે.સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી તરીકે ઓળખે છે

(3) કુતુબમિનાર વિશે લખો.

ઉત્તર :કુતુબમિનાર દિલ્હીમાં આવેલ સલ્તનતકાલીન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે.એનું નિર્માણ 12મી સદીમાં ગુલામ વંશના સ્થાપક કુતબુદીન ઐબકે શરૂ કર્યુ જે તેના અવસાન બાદ તેના જમાઈ ઈલ્તુત્મીશે પૂર્ણ કરાવ્યું.

કુતુબમિનાર 72.5 મી ઊંચો છે. એનો ભૂતળનો ઘેરાવો 13.75 મી છે. જે ઊંચાઈ ૫૨ જતાં તે 2.75 મી થાય છે.કુતુબમિના૨ને લાલ પથ્થ૨ અને આરસથી બનાવવામાં આવેલ છે. એની પર કુરાનની આયાતો કંડારવામાં આવી છે.કુતુબમનાર એ ભારતમાં પથ્થરોમાંથી બનેલ સૌથી ઊંચો સ્તંભ મિનાર છે.

(4) ગોવાનાં દેવળો વિશે લખો.

ઉત્તર :પોર્ટુગીઝો સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ ભારતમાં આવ્યા.ગોવા પોર્ટુગીઝોની રાજધાની હતી.અહીં બેસાલીકા ઑફ બોમ જીસસ કે બેસાલીકા ઑફ ગુડ જીસસ દેવળ જૂના ગોવામાં આવેલું છે.અહીં સેન્ટ ફ્રાન્સીસ ઝેવિયર્સનો પાર્થિવ દેહ સાચવીને મુકાયો છે. ઘણાં વર્ષો પછી પણ તેમનું પાર્થિવ શરીર વિકૃત થયું નથી.

આ ઉપરાંત ગોવામાં અનેક ચર્ચ (દેવળ) આવેલાં છે.ગોવા તેના રમણીય દરિયાકિનારા માટે પણ જાણીતું છે.

(5) અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક વારસાનાં સ્થળોની યાદી બનાવો.

ઉત્તર:અમદાવાદમાં ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સીપ્રીની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયા તળાવ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંહનાં દેરાં, રાણી રૂપમતીની મસ્જિદ વગેરે જોવાલાયક સ્થાપત્યો છે.

(6) પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે.

ઉત્તર:કારણ કે,ભારતના લોકો વિવિધ તીર્થસ્થાનોની યાત્રાએ જાય છે.ભારતનાં ચાર ધામ યાત્રા અને બાર ર્જ્યોતિર્લિંગની યાત્રા પ્રચલિત છે. ચારધામમાં બદ્રીનાથ (ઉતરાખંડ), રામેશ્વરમ (તમિલનાડુ), દ્વારકા (ગુજરાત), અને જગન્નાથપુરી (ઓડિશા) નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત 51 શક્તિપીઠોની અને અમરનાથની યાત્રા પણ મહત્ત્વની ગણાય છે. ગિરનાર (લીલી પરિક્રમા), શેત્રુંજય અને નર્મદાની પરિક્રમાનું પણ અનેરું મહત્ત્વ છે.

4. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો.

(1) અજંતાની ગુફાઓ નીચેનામાંથી ક્યા રાજ્યમાં આવેલી છે?

(A) મધ્ય પ્રદેશ (B) મહારાષ્ટ્ર (C) ઓડિશા ( D ) ગુજરાત

ઉત્તર:(B) મહારાષ્ટ્ર

(2) નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

(A) ઈલોરાની ગુફાઓમાં કૈલાસ મંદિર આવેલું છે.

(B) ઈલોરામાં કુલ 34 ગુફાઓ આવેલી છે.

(C) રાષ્ટ્રકુટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું.

(D) ઈલોરાની ગુફાઓને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે.

ઉત્તર:(D) ઈલોરાની ગુફાઓને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે.

(3) જોડકાં જોડી સાચો ક્રમ પસંદ કરો.

મંદિર                                              રાજ્ય    

(1) કોણાર્કનું સૂર્ય મંદિર             (A) મધ્યપ્રદેશ

(2) વિરૂપાક્ષનું મંદિર પટ્ટદકલ  (B) તમિલનાડુ

(3) બૃહદેશ્વર મંદિર                   (C) કર્ણાટક

(4) ખજુરાહોનાં મંદિર               (D) ઓડિશા

(A) 1-D  2-C  3-B  4-A

(B) 1-C  2-D  3-A  4-B

(C) 1-C  2-D  3-B  4-A

(D) 1-C  2-B  3-D  4-A

ઉત્તર:(A) 1-D  2-C  3-B  4-A

(4) તાજમહેલઃ શાહજહાંઃ હુમાયુનો મકબરો: …….

(A) જહાંગીર (B) હુમાયુ(C) હમીદા બેગમ (D) શાહજહાં

ઉત્તર:(C) હમીદા બેગમ

(5) ફતેહપુર સિકરી નગરની સ્થાપના કોણે કરી હતી?

(A) હુમાયુ  (B) શાહજહાં(C) બાબર (D) અકબર

ઉત્તર:(D) અકબર

(6) ભારતનાં આ ઐતિહાસિક સ્થળોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવતાં ક્યો ક્રમ સાચો ગણાય?

(A) તાજમહેલ, ખજુરાહોનાં મંદિર, બૃહદેશ્વર મંદિર, ઈલોરાની ગુફાઓ

(B) ઈલોરાની ગુફાઓ, તાજમહેલ, ખજુરાહોનાં મંદિર, બૃહદેશ્વર મંદિર

(C) તાજમહેલ, બૃહદેશ્વર મંદિર, ખજુરાહોનાં મંદિર, ઈલોરાની ગુફાઓ

(D) તાજમહેલ, ખજુરાહોનાં મંદિર, ઈલોરાની ગુફાઓ, બૃહદેશ્વર મંદિર

ઉત્તર:(D) તાજમહેલ, ખજુરાહોનાં મંદિર, ઈલોરાની ગુફાઓ, બૃહદેશ્વર મંદિર

(7) નીચેનામાંથી સાચું જોડકું જોડી સાચો ક્રમ પસંદ કરો.

મંદિર                                     રાજય

(1) ઉપરકોટ                      (A) અમદાવાદ   

(2) સીદી સૈયદની જાળી    (B) પાટણ

(3) રાણીની વાવ               (C) ખદીરબેટ

(4) ધોળાવીરા                   (D) જૂનાગઢ

(A) 1-D  2-C  3-B  4-A

(B) 1-D  2-A  3-B  4-C

(C) 1-C  2-D  3-B  4-A

(D) 1-C  2-B  3-D  4-A

ઉત્તર:(B) 1-D  2-A  3-B  4-C

(8) નીચેનામાંથી ક્યો વાવનો પ્રકાર નથી ?

(A) નંદા (B) ભદ્રા (C) તદા (D) વિજ્યા

ઉત્તર:(C) તદા


આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

પ્ર-1 ભારતનો વારસો

પ્ર-2 ભારતનો સાંસ્કૃતિક વારસો: પરંપરાઓ: હસ્ત અને લલિતકલા

પ્ર – 3 ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય

પ્ર – 4 ભારતનો સાહિત્યિક વારસો

પ્ર – 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વારસો

પ્ર – 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો

પ્રકરણ-7 આપણા વારસાનું જતન

પ્રકરણ – 8 કુદરતી સંસાધનો

પ્રકરણ-9 વન અને વન્યજીવ સંસાધન

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ -10 ભારત – કૃષિ

 

 


વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1 MCQ-2

ધો.10 સામાજિક વિજ્ઞાન :- પ્રકરણ-1 :- જોડકાં જોડો.

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1  સાચુ કે ખોટું

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1MCQ

ધોરણ – 10 સામાજિક વિજ્ઞાન : પ્રકરણ – ૮ કુદરતી સંશાધનો :- સાચુ કે ખોટું

ધો.10 સામાજિક વિજ્ઞાન :- પ્રકરણ-૮ કુદરતી સંશાધનો :- જોડકાં જોડો.જમીન અને તેમા થતા પાક

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ- ૮ કુદરતી સંશાધનો MCQ – 2
ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ- ૮ કુદરતી સંશાધનો MCQ – 1

બોર્ડની વાર્ષિક પરીક્ષાનુ નમૂનાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.

માર્ચ-૨૦૨૦ માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.


STD 10 QUESTIONS PAPER GUJARATI MEDIUM CLICK HERE


ધો.10 ના તમામ વિષયોનુ સ્ટડી મટીરીયલ, પ્રશ્નપત્ર પરિરૂપ,એકમ કસોટી પ્રશ્નપત્ર,ક્વિઝ એક જ ક્લિક માંં


 

Plz share this post

Leave a Reply