Dhoran 10 Gujarati Imp Questions 1 Marks

Dhoran 10 Gujarati Imp Questions 1 Marks

ધોરણ ૧૦ ગુજરાતીમાં(Dhoran 10 Gujarati Imp Questions 1 Marks) વિભાગ – A & B(ગદ્ય/પદ્ય વિભાગ)માં  1 ગુણના કુલ 12 પ્રશ્નોના ઉત્તરો લખવાના હોય છે. અહીયા પરીક્ષામાં પૂછાય શકે તેવા ખૂબજ અગત્યના પ્રશ્નોના ઉત્તરો આપવામા આવ્યા છે.

પ્રકરણ – 1 વૈષ્ણવજન

કવિનુ નામ :- નરસિંહ મહેતા

કાવ્યપ્રકાર :- પદ

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

( 1 ) પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો.

( 1 ) નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજન ને લાગુ પડતી નથી?

(A) બીજાના દુઃખને સમજી શકે છે.  (B) નિરભિમાની હોય છે. (C) અભિમાની હોય છે. (D) કોઈની પણ નિંદા કરતો‌ નથી.

ઉત્તર : (C) અભિમાની હોય છે.

( 2 ) વાત, કાછ, મન નિર્મળ રાખે એટલે……..

(A) વાણી, ચરિત્ર્ય અને મનને કપટથી દૂર રાખે છે.

(B) વાણી, કાયા અને મનને કપટી બનાવી

(C) વાણી, ચારિત્ર્ય અને મનને પવિત્ર રાખે

(D) વાણી, કાયા અને મનને ચંચળ રાખે છે.

ઉત્તર : (C) વાણી, ચારિત્ર્ય અને મનને પવિત્ર રાખે

( 2 ) એક – એક વાકયમાં ઉત્તર આપો.

( 1 ) ‘સકળ તીરથ તેના મનમાં રે ‘ – પંક્તિનો અર્થ જણાવો.

ઉત્તર : વૈષ્ણવજન પોતે જ તીર્થરૂપ છે.

( 2 ) મોહમાયા કોને સ્પર્શી શકતા નથી ?

ઉત્તર: વૈષ્ણવજનને

પ્રકરણ – 2 રેસનો ઘોડો

લેખિકાનુ નામ :- વર્ષા અડાલજા

સાહિત્યપ્રકાર :- નવલિકા

1. સાચો વિકલ્પ પસંદ કરો.

(1) વિનુકાકા વાતવાતમાં કહેતા …..

(A) નિશાન ઊંચું રાખવું.

(B) નિશાન નીચું રાખવું.

(C) અન્યને નિશાન બનાવવું.

(D) ક્યારેય કોઈ નિશાન ન રાખવું.

ઉત્તર : (A) નિશાન ઊંચું રાખવું.

(2) અંકિતનાં માતા-પિતાનું સ્વપ્ન હતું કે ….

(A) તે માત્ર ડિગ્રીઓ મેળવે.

(B) તે ઉમદા માણસ બને.

(C) તે ડૉક્ટર બને.

(D) તે ખૂબ પૈસાવાળો બને.

ઉત્તર : (B) તે ઉમદા માણસ બને.

2. એક-એક વાક્યમાં ઉત્તર આપો.

(1) અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી?

ઉત્તર :અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે તેના માતાપિતા માટે સમય નથી.

(2) અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયાં પુસ્તકો ભેટમાં મળ્યાં હતાં?

ઉત્તર :અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ-મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટમાં મળ્યાં હતાં.

પ્રકરણ – ૩ શીલવંત સાધુને

કવયિત્રીનુ નામ :- ગંગાસતી

કાવ્યપ્રકાર :- પદ-ભજન

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો.

(1) ‘જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉરમાં’ – પંક્તિનો ભાવ શો છે?

(A) બધા દુશ્મનો હોવાનો ભાવ (B) બધા મિત્રો હોવાનો ભાવ

(C) જીવનથી નિર્લેપ બનવાનો ભાવ (D) શત્રુને મિત્ર બનાવવાનો ભાવ

ઉત્તર : (C) જીવનથી નિર્લેપ બનવાનો ભાવ

(2) ‘શીલવંત સાધુ’નો શબ્દાર્થ

(A) ચારિત્ર્યવાન (B) શરમાળ (C) નાશવંત (D) લજ્જાશીલ

ઉત્તર : (A) ચારિત્ર્યવાન

2. નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો.

(1) ભજનની અંતિમ પંક્તિમાં ગંગાસતી કોને ઉદ્દેશીને વાત કરી રહ્યાં છે?

ઉત્તર :-ભજનની અંતિમ પંક્તિમાં ગંગાસતી પાનબાઇને ઉદ્દેશીને વાત કરી રહ્યાં છે.

(2) શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે?

ઉત્તર :-શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે.

પ્રકરણ – 4 ભૂલી ગયા પછી

લેખકનુ નામ :- રઘુવીર ચૌધરી

સાહિત્યપ્રકાર :- એકાંકી

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(1) મનીષા દેસાઈએ સુરતી કુટુંબને કોના હુમલામાંથી બચાવેલું.?

(A) રીંછ (B) વાઘ (C) જંગલી ભૂંડ (D) દીપડો

ઉત્તર:-(A) રીંછના

(2) નરેને કઈ તાલીમ મેળવી હતી?

(A) ઘોડેસવારીની (B) વન સંરક્ષણની

(C) પોલીસની (D) પર્વતારોહણની

ઉત્તર:(B) વન રક્ષકની

2. એક વાક્યમાં ઉત્તર આપો.

(1) રીંછ માણસને જોઈને શું કરે છે?

ઉત્તર:ઝનૂનથી પ્રતિકાર કરે છે.

(2) નરેન લગ્નનાં માગાં પાછાં શા માટે ઠેલતો હતો?

ઉત્તર:કારણ કે, તે જે કન્યા પર કવિતાઓ લખતો, એણે લગ્નની ના પાડી હતી.

પ્રકરણ – 5 દીકરી

કવિનુ નામ :- અશોક ચાવડા ‘બેદિલ’

કાવ્યપ્રકાર :- ગઝલ

1. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો .

(1) દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે?

(A) દૈવોની ઝલકમાં (B) પરીની ઝલકમાં

(C) દેવીઓની ઝલકમાં (D) અપ્સરાની ઝલકમાં

ઉત્તર: (C) દેવીઓની ઝલકમાં

(2) દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય?

(A) પિતાને સહારો આપે છે તેથી

(B) પિતાને ખર્ચ કરાવે છે તેથી

(C) સાસરે જાય છે તેથી

(D) ABC માંથી એકપણ નહિ

ઉત્તર: (A) પિતાને સહારો આપે છે તેથી

2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક – બે વાક્યમાં લખો.

(1) કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે?

ઉત્તર:કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે.

(2) દીકરીને માથે હાથ ફેરવવો અને  દીકરી હાથ દે એમાં શો ફરક છે?

ઉત્તર:પિતાનું વહાલ અને દીકરીનો સહારો

પ્રકરણ – 6 વાઇરલ ઇન્ફેક્શન

લેખકનુ નામ :- ગુણવંત શાહ

સાહિત્યપ્રકાર :- નિબંધ

1.નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(1) એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઇ માંદું પડે તો શું કરતા?

(A) દવાખાને જતા

(B) ડૉક્ટર પાસે જતા

(C) દાક્તરને સજા કરતા

(D) ખબર કાઢવા જતા

ઉત્તર: (C) દાક્તરને સજા કરતા

(2) હૉસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે ?

(A) હૉસ્પિટલ દર્દીઓથી ઊભરાતી હોય તેનાથી

(B) હૉસ્પિટલના મોટાભાગના ખાટલા ખાલી પડી રહેવાથી

(C) રંગ – બેરંગી લાઇટ કરવાથી

(D) ફૂલોથી શણગારવાથી

ઉત્તર: (B) હૉસ્પિટલના મોટાભાગના ખાટલા ખાલી પડી રહેવાથી

2. નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો.

(1) ખાવા-પીવાની બાબતમાં કોણ બેદરકાર છે?

ઉત્તર:ભણેલા અને અભણ લોકો

(2) ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા, તે પાઠના આધારે જણાવો.

ઉત્તર:વિવેકાનંદ

પ્રકરણ – 7  હું એવો ગુજરાતી

કવિનુ નામ :- વિનોદ જોશી

કાવ્યપ્રકાર :- ગીત

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(1) આ કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ થયો છે?

(A) શેત્રુંજી (B) મચ્છુ (C) તાપી (D) નર્મદા

ઉત્તર:- (D) નર્મદા

(2) આ કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે?

(A) કવિતા માટે (B) પ્રભાતિયાં માટે

(C) ભક્તિ માટે  (D) ભજન માટે

ઉત્તર:- (B) પ્રભાતિયાં માટે

2. નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો.

(1) આ કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઇની કઈ વિશેષતાને યાદ કરે છે?

ઉત્તર:-આ કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીજીના મૌન  અને સરદાર વલ્લભભાઇની હાકલ વિશેષતાને યાદ કરે છે.

(2) કવિની છાતી શા માટે ગજ ગજ ફૂલે છે?

ઉત્તર:-કવિ ગુજરાતની ધરતીના સંતાન છે એ વાતથી તેમની છાતી ગજ ગજ ફૂલે છે.

પ્રકરણ – 8 છત્રી

લેખકનુ નામ :- રતિલાલ બોરીસાગર

સાહિત્યપ્રકાર :- હાસ્ય – નિબંધ

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(1) દુકાનદારે સ્મિત કર્યું , મેં પણ સામું સ્મિત કર્યું કારણ કે …

(A) લેખક છત્રી ખોઈને ફરી છત્રી લેવા આવ્યા હતા.

(B) દુકાનદાર લેખકને હસાવવા ઇચ્છતો હતો.

(C) દુકાનદાર બધા સામે સ્મિત કર્યા કરતો હતો.

(D) લેખકની ચતુરાઈ જોઈ હસતો હતો.

ઉત્તર:- (A) લેખક છત્રી ખોઈને ફરી છત્રી લેવા આવ્યા હતા.

(2) લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા કારણ કે …

(A) લેખક પાસે પૈસા ન હતા.

(B) લેખકને રાજકોટ જવું ગમતું હતું.

(C) તે બીજાની પ્રમાણિક્તાની કદર કરવા ઇચ્છતા હતા.

(D) છત્રી હવે વેચાતી મળતી ન હતી.

ઉત્તર:- (C) તે બીજાની પ્રમાણિક્તાની કદર કરવા ઇચ્છતા હતા.

2. નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો.

(1) દુકાનદારે લેખકને કઈ સલાહ આપી?

ઉત્તર:-છત્રી તેમની પાસે ટકે એવો ઉપાય શોધી કાઢવો

(2) પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું?

ઉત્તર:-આખા રાજયની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો.

Dhoran 10 Gujarati Imp Questions 1 Marks

પ્રકરણ – 9 માધવને દીઠો છે ક્યાંય?

કવિનુ નામ :- હરીન્દ્ર દવે

કાવ્યપ્રકાર :- ઊર્મિગીત

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(1) રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ …

(A) કદંબની ડાળ (B) કૃષ્ણમિલન

(C) યમુનાનું વહેણ (D) કૃષ્ણ માટેનો વિરહ

ઉત્તર:- (B) કૃષ્ણમિલન

(2) કવિ કોના ઊડતા આવવાની ઇચ્છા વ્યક્ત કરે છે?

(A) મોરપિચ્છ (B) પક્ષીઓના

(C) સ્વર્ગનું વિમાન (D) મારગની ધૂળ

ઉત્તર:- (A) મોરપિચ્છના

2. નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો.

(1) મારગની ધૂળને કવિ શું પૂછે છે?

ઉત્તર:- તમે મારા માધવને કયાંય દીઠો છે?

(2) પાતાળમાં કોણ પરખાય છે?

ઉત્તર:- હરિવર

પ્રકરણ – 10 ડાંગવનો અને …

લેખકનુ નામ :- મહેન્દ્રસિંહ પરમાર

સાહિત્યપ્રકાર :- લલિત નિબંધ

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(1) અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા?

(A) અંકલ ઈશ્વર (B) ઔધોગિક મથક

(C) ગંદકેશ્વર (D) દૂર્ગધેશ્વર

ઉત્તર:- (C) ગંદકેશ્વર

(2) શેના કારણે સાગનાં ઝાડ શણગારેલાં લાગે છે?

(A) લાઈટના કારણે (B) આગિયાના કારણે

(C) બીજાં વૃક્ષોને કારણે (D) ફૂલ-ફળથી

ઉત્તર:- (B) આગિયાના કારણે

2. નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો.

(1) શાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા?

ઉત્તર:- મૃત્યુના માનમાં

(2) ગિરમાળનો ધોધ કઈ નદી પરથી પડતો હતો?

ઉત્તર:- ગિરા નદી પરથી

પ્રકરણ – 11 શિકારીને

કવિનુ નામ :- કલાપી

કાવ્ય પ્રકાર :-  ઊર્મિકાવ્ય

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(1) પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે?

(A) પંખીનો શિકાર કરવાનું (B) તીર ચલાવવાનું (C) માળો બનાવવાનું (D) પંખીના ગીતને સાંભળવાનુ

ઉત્તર :- (D) પંખીના ગીતને સાંભળવાનુ

(2) કવિ નીચેનામાંથી કયો સંદેશો આપે છે?

(A) સંહાર કરવાનું રહેવા દે. (B) તું ક્રૂર બન. (C) તારે સુંદર બનવાની જરૂર નથી. (D) પ્રકૃતિનો તું નાશ કર.

ઉત્તર :- (A) સંહાર કરવાનું રહેવા દે.

2. નીચેના પ્રશ્નોના એક વાક્યોમાં ઉત્તર આપો.

(1) કવિની દૃષ્ટિએ પક્ષી કયા જોવા મળશે?

ઉત્તર :- કવિની દૃષ્ટિએ પક્ષી એનાં મધુર ગીતમાં જોવા મળશે.

(2) શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે?

ઉત્તર :- શિકાર કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે.

પ્રકરણ – 12 ચોપડાની ઇન્દ્રજાળ

લેખકનુ નામ :- ચન્દ્રકાંત પંડ્યા

સાહિત્ય પ્રકાર :-  આત્મકથા – ખંડ

1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(1) લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો, કારણ કે …….

A. લેખક પોતાના ઘરેથી ખાવાનું લઈને ગયા હતા. B. પિતાજીનું અવસાન થયું હતું. C. જીવલાના છોકરાનો મોંનો કોળિયો પોતે ઝૂંટવ્યો હોય તેવું લેખકને લાગ્યું. D. લેખક ખૂબ જ ભણેલા હતા.

ઉત્તર :- C. જીવલાના છોકરાનો મોંનો કોળિયો પોતે ઝૂંટવ્યો હોય તેવું લેખકને લાગ્યું.

(2) જીવલાની કરુણ દશા જોઈને…….

A. લેખક રાજી થઈ ગયા. B. લેખકનું હૃદય દ્રવી ઊઠ્યું. C. લેખકને કશી અસર ન થઈ. D. લેખક હસવા લાગ્યા.

ઉત્તર :- B. લેખકનું હૃદય દ્રવી ઊઠ્યું.

2. નીચેના પ્રશ્નોના એક વાક્યોમાં ઉત્તર આપો.

(1) ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો લાગો(ભાગ) રહેતો?

ઉત્તર :- ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં રાજા, અમલદાર, ધગડું, તલાટી, ભૂવો અને શાહુકારનો લાગો(ભાગ) રહેતો.

(2) ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો?

ઉત્તર :- ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ રાતો હતો.

પ્રકરણ – 13 વતનથી વિદાય થતાં

લેખકનુ નામ :- જયંત પાઠક

કાવ્ય પ્રકાર :-  સોનેટ

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(1) કવિને શાની ભ્રમણા થાય છે?

(A) બે હાથ ઊંચા કરી બોલાવતી માતાની (B) શહેરની ગીચ વસ્તીની (C) પોતાની પત્નીની (D) પુત્રની

ઉત્તર : (A) બે હાથ ઊંચા કરી બોલાવતી માતાની

(2) વતનની વિદાય થતાં કવિ અનુભવે છે …

(A) શહેરી દુનિયાની મજા મસ્તી (B) ઉલ્લાસ અને આનંદ (C) વતન પ્રત્યેનો તિરસ્કાર (D) વતન માટેનો તલસાટ

ઉત્તર : (D) વતન માટેનો તલસાટ

2. નીચેના પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર આપો :

(1) ‘વતનની વિદાય થતાં’ કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે?

ઉત્તર : વતનના જન, ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેથી

પ્રકરણ – 14 જન્મોત્સવ

લેખકનુ નામ :- સુરેશ જોષી

સાહિત્ય પ્રકાર :-  નવલિકા

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(1) લાલ કિનખાબનો પડદો ક્યારે ખૂલે તેની લોકો રાહ જોઇ રહ્યા હતા, કારણ કે …

(A) વીજળીની કરામતથી કૃષ્ણજન્મનું દૃશ્ય ઊભું થવાનું હતું.(B) માણકી બાળકને જન્મ આપવાની હતી.(C) કિનખાબનો પડદો ખરેખર લીલા રંગનો હતો. (D) નાટક રજૂ થઇ રહ્યું હતું.

ઉત્તર :- (A) વીજળીની કરામતથી કૃષ્ણજન્મનું દૃશ્ય ઊભું થવાનું હતું.

(2) આ પાઠમાં લેખક શું કહેવા માગે છે.?

(A) લેખક કશું જ કહેવા માગતા નથી.(B) કૃષ્ણજન્મનું મહત્ત્વ સમજાવવા માગે છે.(C) સમાજની જુદી જુદી બે પરિસ્થિતિનું ચિત્ર રજૂ કરવા માગે છે.(D) પૈસાદાર લોકો જ પુણ્યશાળી છે.

ઉત્તર :- (C) સમાજની જુદી જુદી બે પરિસ્થિતિનું ચિત્ર રજૂ કરવા માગે છે.

2. નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો :

(1) “હાવ બેઠો રિયે ઇમ કરવું સે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માંગે ઇમ કરવું છે?” – આ વાક્ય કોણ બોલે છે?

ઉત્તર :- વેલજી ડોસા

(2) ફગફગિયો દીવો બુઝાઈ જવાની સાથે બીજી કઇ ઘટના બની?

ઉત્તર :- બાળકનુ રુદન ગાજી ઊઠ્યું.

પ્રકરણ – 15 બોલીએ ના કાંઇ

લેખકનુ નામ :- રાજેન્દ્ર શાહ

કાવ્ય પ્રકાર :-  ગીત

1.નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(1) કવિ શું કરવાનું કહે છે?

(A) બોલવાની ના પાડે છે. (B) બોલવાનુ કહે છે. (C) મૂંગા રહેવાની ના પાડે છે. (D) બોલવુ પણ ધીમે ધીમે

ઉત્તર :- (A) બોલવાની ના પાડે છે.

(2) હ્રદય ખોલવુ એટલે શું?

(A) બીજાની વાત સાંભળવી (B) ઓપરેશન કરાવવું (C) કશું જ બોલવુ નહી (D) પોતાના દિલની વાત બીજાને કહેવી

ઉત્તર :- (D) પોતાના દિલની વાત બીજાને કહેવી

2. એક એક વાક્યમા ઉત્તર આપો.

(1) બીજા લોકો શામાંથી આનંદ મેળવે છે?

ઉત્તર :- અન્યની વ્યથા જણવામાંથી

(2) વ્હેણના પાણીને કોણ ઝીલે છે?

ઉત્તર :- સાગર

Dhoran 10 Gujarati Imp Questions 1 Marks

પ્રકરણ – 16 ગતિભંગ

લેખકનુ નામ :- મોહનલાલ પટેલ

સાહિત્ય પ્રકાર :-  લઘુકથા

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ  કરો :

(1) ‘આપણી બબલીની જ પગલી જાણે!’ આ વાક્ય કોણે બોલે છે?

(A) સ્ટેશન માસ્તર (B) ડુંગર (C) ડુંગરની પત્ની (D) ડુંગરની મા

ઉત્તર :- (C) ડુંગરની પત્ની

(2) ડુંગર અને તેની વહુ ક્યા સ્ટેશને ગાડી પકડવા માગતાં હતાં?

(A) રાજપુર (B) વરતેજ (C) ધોરાજી (D) ગાંધીધામ

ઉત્તર :-  (A) રાજપુર

2. એક – એક વાક્યમાં ઉત્તર આપો.

(1) ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું?

ઉત્તર :-  મૃત બાળક

(2) ડુંગરે પોતાની નજર કયા સ્થિર કરી?

ઉત્તર :- ગગનના માર્ગ પર

પ્રકરણ – 17 દિવસો જુદાઇના જાય છે

લેખકનુ નામ :- ગની દહીંવાલા

કાવ્ય પ્રકાર :-  ગઝલ

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિક્લ્પ પસંદ  કરો.

(1) સ્વજન સુધી કોણ લઈ જશે?

(A) મિત્રો (B) દુશ્મનો (C) ઇશ્વર (D) ગની

ઉત્તર :- (B) દુશ્મનો

(2) કવિને ક્યાં સુધી જવું હતું?

(A) ધરા સુધી (B) ગગન સુધી  (C) ઉન્નતિ સુધી  (D) એક – મેકના મન સુધી

ઉત્તર :- (D) એક – મેકના મન સુધી

2. એક – એક વાકયમા ઉત્તર આપો.

(1) ગરીબ સ્ત્રીની ચૂંદડી કયાં સુધી સાથે રહે છે?

ઉત્તર :- તેના કફન સુધી

(2) કવિ માટે કેવા દિવસો જતા હતા?

ઉત્તર :- જુદાઇના

પ્રકરણ – 18 ભૂખથીય ભૂંડી ભીખ

લેખકનુ નામ :- પન્નાલાલ પટેલ

સાહિત્ય પ્રકાર :-  નવલકથા-અંશ

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ  કરો.

(1) કેમ ભાઈ, પટેલ, તું આ પેટિયું નથી લેતો? આ વાક્ય કોણ કોને ઉદ્દેશીને કહે છે?

(A) શેઠ કાળુને કહે છે. (B) સિપાઈ કાળુને કહે છે.(D) કાળુ રાજને કહે છે.(C) રાજ કાળુને કહે છે.

ઉત્તર:- (A) શેઠ કાળુને કહે છે.

(2) કાળુ માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત ….

(A) કીર્તિની ભૂખ છે. (B) માનવીની જરૂરિયાત છે. (C) માનવીની ઈર્ષા છે. (D) સ્વમાન ગુમાવી ભીખ માટે હાથ લંબાવવો તે છે.

ઉત્તર :- (D) સ્વમાન ગુમાવી ભીખ માટે હાથ લંબાવવો તે છે.

૩. એક – એક વાકામાં ઉત્તર આપો.

(1) દુકાળના વખતમાં લોકોને કોણે મદદ કરી છે.?

ઉત્તર :- ડેગડિયાના મહારાજે

(2) કાળુ અને રાજુ ભુંડામાં ભૂંડી બાબત કોને કહે છે?

ઉત્તર :- ભીખને

(3) સદાવ્રતમાં અનાજ લેવા કોણ – કોણ ઊભા હતા?

ઉત્તર :- દરિદ્રનારાયણો, પટેલ, બ્રાહ્મણ તથા વાણિયાના સ્ત્રી-પુરુષો, ઠાકોરો, ઘાંચી, સિપાઇ તથા ખેડુતો

Dhoran 10 Gujarati Imp Questions 1 Marks

પ્રકરણ – 19 એક બપોરે

કવિનુ નામ :- રાવજી પટેલ

કાવ્યનો પ્રકાર :- ઊર્મિકાવ્ય

1.નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

std 10 gujarati ch19

(1) ખેતરના શેઢે શું બન્યું હતું ?

(A) બળદ થાકીને બેસી ગયા હતા.

(B) સારસી ઊડી ગઈ હતી.

(C) વરસાદ તૂટી પડ્યો હતો.

(D) ગળા સમું ઘાસ ઊગી ગયું હતું.

ઉત્તર :- (B) સારસી ઊડી ગઈ હતી.

(2) કવિ કયા વૃક્ષ નીચે બેઠા હતા ?

(A) બાવળ

(B) બોરડી

(C) આંબો

(D) મહુડી

ઉત્તર :- (D) મહુડી

2.એક – એક વાક્યમાં ઉત્તર આપો.

std 10 gujarati ch19

(1) ઢોચકીમાં છાશ પાછી રેડવાનું કવિ કોને કહે છે ?

ઉત્તર :- માને

(2) કવિ ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કેમ કહે છે ?

ઉત્તર :- 

પ્રકરણ – 20 વિરલ વિભૂતિ

લેખકનુ નામ :- આત્માર્પિત અપૂર્વજી

સાહિત્યપ્રકાર :- ચરિત્ર નિબંધ

1.નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

std 10 gujarati ch20

(1)મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા ?

(A) શ્રીમદ્ રાજચંદ્ર

(B) વિનોબા ભાવે

(C) લોકમાન્ય ટિળક

(D) ગોપાલકૃષ્ણ ગોખલે

ઉત્તર :‌- (A) શ્રીમદ્ રાજચંદ્ર

(2) મનુષ્યદેહ શાના જેવો છે ?

(A) છાશ

(B) દૂધ

(C) ઘી

(D)દહીં

ઉત્તર :‌- (A) છાશ

(3) શ્રીમદ્ રાજચંદ્રે લખેલો તત્ત્વજ્ઞાનથી ભરપૂર ચિંતનગ્રંથ કયો છે ?

(A) પુષ્પમાળા

(B) મોક્ષમાળા

(C) ભાવમાળા

(D)રાજમાળ

ઉત્તર :‌- (B) મોક્ષમાળા

2. એક-એક વાક્યમાં ઉત્તર આપો.

std 10 gujarati ch20

(1) શતાવધાની શક્તિ એટલે શું ?

ઉત્તર :- એકસાથે સો વસ્તુઓ, ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શકિત

(2) મનુષ્ય આત્મા શાના જેવો છે ?

ઉત્તર :- છાશ

પ્રકરણ – 21 ચાંદલિયો

કવિનુ નામ :- ‌‌‌‌‌  ——-

કાવ્યનો પ્રકાર :- લોકગીત

1.નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

std 10 gujarati ch21

1. કાવ્યનાયિકાએ દિયર અને દેરાણી માટે ચંપાનો છોડ અને ચંપાની પાંદડીનાં રૂપક વાપર્યાં છે. આ રૂપકો……

(A) દિયર દેરાણી માટે કાવ્યનાયિકાનો પ્રેમ દર્શાવે છે.

(B) દિયર દેરાણીની પ્રશંસા દર્શાવે છે.

(C) દિય૨ દેરાણી માટે કાવ્યનાયિકાની ઈર્ષ્યા બતાવે છે.

ઉત્તર :- (A) દિયર દેરાણી માટે કાવ્યનાયિકાનો પ્રેમ દર્શાવે છે.

2. સગી નણંદના વીર સાથે કાવ્યનાયિકાનો કયો સંબંધ છે?

(A) નણદોઈ

(B) પિતા

(C) સસરા

(D) પતિ

ઉત્તર :- (D) પતિ

3. આ લોકગીતમાં ચાંપલિયાની પાંદડી કોને કહી છે?

(A) સખી

(B) સસરા

(C) દેરાણી

(D) નણંદ

ઉત્તર :- (C) દેરાણી

2. નીચે આપેલ પ્રશ્નોના એક-બે વાક્યમાં ઉત્તર આપો.

std 10 gujarati ch21

1.નણદોઈ વિશે આ લોકગીતમાં શું કહેવાયું છે ?

ઉત્તર :- વાડીનો મોરલો

2.સાસુ અને સસરા માટે કાવ્યનાયિકા પોતાનો પ્રેમભાવ કેવી રીતે વ્યક્ત કરે છે ?

ઉત્તર :- પૂર્વજન્મના માતાપિતા કહીને

Dhoran 10 Gujarati Imp Questions 1 Marks

પ્રકરણ – 22 હિમાલયમાં એક સાહસ

લેખકનુ નામ :- જવાહરલાલ નેહરુ

સાહિત્યપ્રકાર :- પ્રવાસ નિબંધ

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

1.નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

std 10 gujarati ch22

(1) સાંકડી અને નિર્જન ખીણોમાં ફરવાનો લેખકનો _______

(A) કાયમી અનુભવ હતો.

(C) ઓછો અનુભવ હતો.

(C) પ્રથમ અનુભવ હતો.

(D) છેલ્લો અનુભવ હતો.

ઉત્તર :- (C) પ્રથમ અનુભવ હતો

(2) હિમનદી ઓળંગવાનાં સાધનોના અભાવને કારણે ________

(A) પાછા ફર્યા

(B) આગળવધ્યા

(C) રોકાઈ ગયા

(D) સફળ થયા

ઉત્તર :- (A) પાછા ફર્યા

2.નીચેના પ્રશ્નોનો એક-બે વાક્યમાં ઉત્તર લખો.

std 10 gujarati ch22

(1) પ્રવાસમાં લેખકની કયા સ્થળે જવાની ઇચ્છા હતી ?

ઉત્તર :- માનવસરોવર

2. પ્રવાસમાં લેખકની સાથે કોણ હતું ?  

ઉત્તર :- પિતરાઈ ભાઈ, મજૂરો, દીકરી

3. ખોભણમાં પગ લપસ્યા છતાં લેખક કેવી રીતે બચ્યા ?

ઉત્તર :- ખોભણમાં લેખકનો પગ લપસ્યો; પરંતુ સૌ એકબીજા દોરડાની સાંકળથી સંકળાયેલા હતા. આથી આ દોરડાએ તેમને પકડી રાખ્યા. પોતે ખોભણની એક બાજુને વળગી રહ્યા એટલે સૌએ મળીને એમને ખેંચી કાઢ્યા. આ રીતે તેઓ બચી ગયા.

પ્રકરણ – 23 લઘુકાવ્યો : દુહા-મુક્તક-હાઈકુ

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

1.નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

std 10 gujarati ch23

(1) કવિ કયાં જવાની ના પાડે છે ?

(A)  આવકાર મળે ત્યાં

(B) આદર મળે ત્યાં

(C) આંખોમાં સ્નેહ દેખાય ત્યાં

(D) આવકારો ન મળે ત્યાં

ઉત્તર :- (D) આવકારો ન મળે ત્યાં

(2) શું બનવું દુર્લભ છે ?

(A) કુલદીપક

(B) દેશદીપક

(C) વીર

(D) મહાન

ઉત્તર :- (A) કુલદીપક

2. એક વાકયમાં ઉત્તર આપો.

std 10 gujarati ch23

(1) કવિની દૃષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું ?

ઉત્તર :- જવાબદારીવાળો

Dhoran 10 Gujarati Imp Questions 1 Marks

પ્રકરણ – 24 ઘોડીની સ્વામીભક્તિ

લેખકનુ નામ :- જોરાવરસિંહ જાદવ

સાહિત્યપ્રકાર :- લોકકથા

1.નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

std 10 gujarati ch24

(1) આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી ?

(A) ખદડ

(B) રેવાળ

(C) ઉભડક

(D) ઠેકતી

ઉત્તર :- (B) રેવાળ

(2) ઢેલ જેવી જાતવાન ઘોડી રાંગમાં રમતી હોય પછી ચંત્યા શાની ? આ વાકય કોણ બોલે છે?

(A) ગામ લોકો

(B) મામા

(C) ગણેશની બા

(D) આંબા પટેલ

ઉત્તર :- (D) આંબા પટેલ

2. એક-એક વાકયમાં ઉત્તર આપો.

std 10 gujarati ch24

(1) ‘પટલાણીની દીકરી થૈ ને મને મોળું ઓહાણ આલો છો?”- આ વાત આંબા પટેલ કોને કહે છે?

ઉત્તર :- પત્નીને

(2) ‘શેત્રુંજી જેવી સાત નદિયું આડી ચ્યમ નથી પડી?”- આ વાકય કોણ બોલે છે?

ઉત્તર :- આંબા પટેલ


ધોરણ ૧૦ ગુજરાતીમાં વિભાગ – B (પદ્ય વિભાગ) પ્રશ્નોના ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE


હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી કરવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

Plz share this post

Leave a Reply