નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના – NAMO SARASWATI VIGYANSADHANA YOJANA

નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના - NAMO SARASWATI VIGYANSADHANA YOJANA

વિજ્ઞાન પ્રવાહના અભ્યાસની અગત્યતાને ધ્યાને રાખીને વધુમાં વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે આવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સહાય આપવાની યોજના એટલે “નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના – NAMO SARASWATI VIGYANSADHANA YOJANA”

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણને સુદ્રઢ કરવા અનેક નવી પહેલ હાથ ધરવામાં આવેલ છે. એકવીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. જીવનનાં દરેક ક્ષેત્રે તેમજ રોજગારીની બાબતોમાં વિજ્ઞાનલક્ષી શિક્ષણની જરૂરીયાત વધી રહેલ છે.

ગુજરાતમાં અનેક ભવિષ્યલક્ષી ઔદ્યોગિક ક્ષેત્રોમાં રોકાણ થઇ રહ્યુ છે. એડવાન્સ મેન્યુફેક્ચરીંગ, ડીજીટલ ટેક્નોલોજી, બાયો ટેક્નોલોજી, ગ્રીન એનર્જી, એરક્રાફ્ટ મેન્યુફેક્ચરીંગ, સેમી કન્ડક્ટર જેવી ન્યુ એજ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઔદ્યોગિકરણ થઇ રહ્યું છે. જેથી રાજ્યમાં વિજ્ઞાનપ્રવાહનું શિક્ષણ મેળવેલ અને તકનીકી કૌશલ્યો ધરાવનાર યુવાધન માટે વિપુલ તકોનું નિર્માણ થનાર છે.

આમ, વિજ્ઞાન પ્રવાહના અભ્યાસની અગત્યતાને ધ્યાને રાખીને વધુમાં વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ મેળવી ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે આવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સહાય આપવાની યોજના નીચેની શરતોને આધીન અમલમાં મુકવાનું આથી ઠરાવવામાં આવે છે.

♦ યોજનાનું નામ ♦

આ યોજનાનું નામ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ માટે “નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના – NAMO SARASWATI VIGYANSADHANA YOJANA” રહેશે.

♦ લાભાર્થીની પાત્રતા ♦

જે વિદ્યાર્થીઓ ધોરણ-૧૦ની બોર્ડ પરીક્ષામાં પ૦% કે તેથી વધુ ગુણ મેળવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) અથવા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વ-નિર્ભર શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ મેળવે તેવા નીચે મુજબની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને આ સહાય મળવાપાત્ર રહેશે.

a) રાજ્યની સરકારી અથવા અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯ અને ૧૦માં અભ્યાસ કર્યો હોય તેવા તમામ વિદ્યાર્થીઓ, અથવા

b) માન્ય સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯ અને ૧૦ પૈકી બંને કે કોઈ એક ધોરણનો અભ્યાસ કર્યો હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬ લાખ કે તેથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ.

♦ મળવાપાત્ર સહાય ♦

1. આ યોજના હેઠળ ધોરણ ૧૧ અને ૧૨ના મળી કુલ રૂ. ૨૫,૦૦૦/- સહાય ચૂકવવામાં આવશે.

2. ધોરણ ૧૧ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૧૦,૦૦૦/- અને ધોરણ ૧૨ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૧૫,૦૦૦/- મળવાપાત્ર રહેશે.

૩. ધોરણ ૧૧ અને ૧૨ના શૈક્ષણિક વર્ષો દરમ્યાન ૧૦ માસ માટે માસિક રૂ. ૧૦૦૦/- મુજબ વાર્ષિક રૂ. ૧૦,૦૦૦/- પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂ. 20,000/-ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂ. ૫,૦૦૦/- ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષા પાસ કર્યેથી મળવાપાત્ર રહેશે.

♦ સહાયની રકમની ચુકવણીની પ્રક્રિયા ♦

1. આ યોજનાના અમલીકરણ અધિકારી તરીકે નિયામકશ્રી, શાળાઓ રહેશે.

2. નિયામકશ્રી, શાળાઓ દ્વારા આ સહાય યોજનાના સુચારુ સંચાલન માટે એક અલગ “નમો સરસ્વતી પોર્ટલ” બનાવવાનું રહેશે.

3. આ યોજના હેઠળ સહાયની ચુકવણી નિયામકશ્રી, શાળાઓ દ્વારા ડાઇરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)થી વિદ્યાર્થીની માતાના બૅન્ક ખાતામાં જમા કરવામાં આવશે. જે કિસ્સામાં વિદ્યાર્થીની માતા હયાત ન હોય, તે કિસ્સામાં રકમ સીધા વિદ્યાર્થીના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.

4. શાળાઓએ તેઓની શાળામાં દાખલ થયેલ ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત CTS (ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ) પોર્ટલમાં કરવાની રહેશે.

5. નિયામકશ્રી, શાળાઓ દ્વારા CTS પોર્ટલ પર શાળાઓએ કરેલ વિદ્યાર્થીઓની નોંધણી અને પાત્રતા અંગેની ખરાઈ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી મારફત કરાવવાની રહેશે અને ત્યારબાદ પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીઓની યાદી નમો સરસ્વતી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.

6. પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયાથી ચકાસણી પૂરી કરી શક્ય હોય ત્યાં સુધી જૂન માસની સહાયની રકમ સંબંધિત બેન્ક ખાતામાં જૂન માસમાં જ જમા કરાવવાની રહેશે અન્યથા મોડામાં મોડા જુલાઇ માસમાં જૂન, જુલાઇની સહાયની રકમ એક જ સાથે સંબંધિત બેન્ક ખાતામાં જમા કરાવવાની રહેશે.

7. ત્યાર બાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના મહિનાઓની સહાયની રકમ જે તે મહિનાની ૧૦ તારીખ સુધી સંબંધિત વિદ્યાર્થીની માતા અથવા વિદ્યાર્થીના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.

8. આ યોજનાનો લાભ મેળવતા વિદ્યાર્થીઓની વિદ્યા સમીક્ષા કેન્દ્રના ઓનલાઈન એટેન્ડન્સ પોર્ટલ ઉપર નિયમિત રીતે હાજરી ભરવાની જવાબદારી જે તે શાળાની રહેશે.

9. શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા જયાં જરૂર જણાય ત્યાં વિદ્યાર્થીઓની હાજરી અંગેની સ્થળ તપાસ અચાનક શાળાને કોઇપણ પ્રકારની જાણ કર્યા વિના કરવામાં આવશે. જે દરમ્યાન જે વિદ્યાર્થીઓની હાજરી અગાઉના મહિનાઓમાં સરેરાશ ૮૦% નહી જળવાતી હોય તેવા વિદ્યાર્થીઓની સહાય બંધ કરી દેવામાં આવશે.

10. કોઈપણ કારણસર જો કોઈ વિદ્યાર્થી અધવચ્ચેથી શાળા છોડી દે તો તેવા કિસ્સાઓમાં બાકીની સહાયની રકમ મળવાપાત્ર રહેશે નહીં તથા વિદ્યાર્થીને ચૂકવાયેલ સહાયની રકમ પરત લેવાની રહેશે નહીં.

11. રિપીટર વિદ્યાર્થીના કિસ્સામાં જે તે ધોરણની સહાય એક કરતાં વધુ વખત ચૂકવવામાં આવશે નહીં. જો વિદ્યાર્થી આગળનો અભ્યાસ ચાલુ રાખે તો આગળના ધોરણમાં નિયમાનુસાર સહાય મળવાપાત્ર રહેશે. વર્ષ ૨૦૨૪-૨૫ના રિપીટર વિદ્યાર્થીઓને પાત્રતાના આધારે જે તે ધોરણની સહાય મળવાપાત્ર રહેશે.

12. બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કર્યેથી મળવાપાત્ર સહાય જ્યારે પણ બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તે પછી મળવાપાત્ર રહેશે, જે કિસ્સાઓમાં વિદ્યાર્થી એકથી વધારે પ્રયત્ને બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તેવા કિસ્સામાં બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે ત્યારે સહાય મળવાપાત્ર રહેશે.

13. વિદ્યાર્થીને સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશિપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર રહેશે.

• આ યોજનાનું અમલીકરણ શૈક્ષણિક વર્ષ 2024-25 થી કરવાનું રહેશે.

♦ આ પણ વાંચો ♦

શાળા પરિવહન યોજના – Shala Parivahan Yojana

વિદ્યાદીપ વીમા યોજના Vidyadip Vima Yojna

નમો લક્ષ્મી યોજના – NAMO LAXMI YOJANA


હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી કરવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

Plz share this post

Leave a Reply