ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધા – 2021

દર વર્ષે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે . આ વર્ષે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે .જેમાં સ્કુલ , કોલેજના વિદ્યાર્થીઓ તથા અન્ય લોકો ગ્રુપ મુજબ ભાગ લઇ શકશે .

નિબંધના સ્પર્ધાના વિષયો :

૧ . પ્લાસ્ટીક વેસ્ટની જૈવવિવિધતા પર અસરો

૨. જીવ સૃષ્ટીનું પુન : સ્થાપન- જળ , જમીન

3. પર્યાવરણના સંરક્ષણ માટે મારો ફાળો

૪. મ્યુનિસિપલ ઘન કચરો – પડકારો અને નિરાકરણ

રોકડ પુરસ્કાર :

૧ ) જીલ્લા કક્ષાએ પસંદગી સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલ વિજેતાઓને નીચે મુજબ રોકડ ઇનામ આપવામાં આવશે.

પ્રથમ ઇનામ રૂ .2000

બીજું ઇનામ રૂ .1000

ત્રીજું ઇનામ રૂ .500

૨ ) જીલ્લા કક્ષાએ પ્રથમ વિજેતા ઉમેદવારના નિબંધને રાજ્યકક્ષાએ પસંદગી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવશે . રાજ્યકક્ષાએ પસંદગી સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલ વિજેતાઓને નીચે મુજબ રોકડ ઇનામ આપવામાં આવશે.

પ્રથમ ઇનામ રૂ .4000

બીજું ઇનામ રૂ .2000

ત્રીજું ઇનામ રૂ .1000

નિબંધ માર્ગદર્શિકા :

૧. નિબંધ કોઇપણ એક વિષય પર લખવાનો રહેશે .

૨. નિબંધ ગુજરાતી ભાષામાં લખવાનો રહેશે .

A-4 સાઇઝના પેપર પર સરસ રીતે 12 સાઇઝના શ્રુતિ ફોન્ટમાં અને 900 શબ્દો સુધી મર્યાદિત હોવો જોઈએ .

૩ .નિબંધમાં નીચેના મુદ્દાઓ સામેલ કરવાના રહેશે.

♦વિષય પરિચય

♦સમસ્યાનું સમાધાન , અભિગમ , ઉપચારો વિગેરે

♦નિષ્કર્ષ , નિબંધમાં પ્રસ્તુત કાર્ય અને વિશ્લેષણનો સારાંશ .

૪. નિબંધની શરૂઆતમાં ભાગ લેનારનું નામ , સંસ્થાનું નામ અને સરનામુ તેમજ ભાગ લેનારનો સંપર્ક નંબર , નિબંધની ઉપર ઇમેઇલ આઈડીનો ઉલ્લેખ કરેલ હોવો જોઇએ .

૫. નિબંધના આકારણીમાં નીચેના માપદંડોનો ઉપયોગ કરવામાં આવશે.

વિષય વસ્તુ,મૌલિકતા,સ્પષ્ટતા,માળખું

૬. સ્પર્ધા માટે ફક્ત મૌલિક નિબંધ ધ્યાનમાં લેવામાં આવશે . અગાઉ પ્રકાશિત થયેલ નિબંધ કે બીજા કોઇના લખાણની નકલ કરેલ નિબંધ ગેરલાયક ઠરાવવામાં આવશે .

૭. ભાગ લેનારના ગ્રુપ નીચે મુજબ રહેશે તથા તે મુજબ દરેક ભાગલેનારે પોતાનો નિબંધ રજુ કરવાનો રહેશે .

ગ્રુપ અ – ધો . ૭ સુધીના વિદ્યાર્થીઓ

ગ્રુપ બ – ધો . ૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓ

ગ્રુપ ક – કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ

ગ્રુપ ડ – અન્ય તમામ ( જેમાં વય મર્યાદાનો બાધ નથી )

૮. ભાગ લેનાર કોઇપણ એક ગ્રુપમાં અને એક જ ભાષામાં નિબંધ રજુ કરી શકશે .

૯. પસંદગી સમિતિમાં બોર્ડના કર્મચારી / અધિકારી સિવાયના ઓછામાં ઓછા ત્રણ તજજ્ઞ રાખવાના રહેશે .

૧૦. રોકડ ઇનામ દરેક ગ્રુપમાં ગુજરાતી તથા અંગ્રેજી બન્ને ભાષામાં આપવામાં આવશે .

૧૧. ભાગલેનારે નિબંધની સાથે સ્કુલ / કોલેજનું આઇ.ડી. પ્રૂફ અને / અથવા સરનામાનો પુરાવો રજુ કરવાનું રહેશે .

સબમિશન પ્રક્રિયા :

નિબંધ એક જ PDF ફાઇલ તરીકે તા . ૦૫/૦૬/૨૦૨૧ થી તા . ૧૦ / ૦૬ / ૨૦૨૧ ના સમયગાળામાં જીલ્લા પ્રમાણે નીચે મુજબના ઇ – મેઇલ પર સબમિટ કરવાનું રહેશે .

1. Ahmedabad [email protected]

2. Amreli [email protected]

3. Anand [email protected]

4. Aravalli [email protected]

5. Banaskantha [email protected]

6. Bharuch [email protected]

7. Bhavnagar [email protected]

8. Botad [email protected]

9. Chhota Udaipur [email protected]

10. Dahod [email protected]

11. Dang [email protected]

12. Devbhoomi Dwarka [email protected]

13. Gandhinagar [email protected]

14. Gir Somnath [email protected]

15. Jamnagar [email protected]

16. Junagadh [email protected]

17. Kutch [email protected]

18. Kheda [email protected]

19. Mahisagar [email protected]

20. Mehsana [email protected]

21. Morbi [email protected]

22. Narmada [email protected]

23. Navsari [email protected]

24. Panchmahal [email protected]

25. Patan [email protected]

26. Porbandar [email protected]

27. Rajkot [email protected]

28. Sabarkantha [email protected]

29. Surat [email protected]

30. Surendranagar [email protected]

31. Tapi [email protected]

32. Vadodara [email protected]

33. Valsad [email protected]

વધુ માહિતી માટે નીચેની પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરો.

GPCB_WEB_2021_ESSAY_GUIDELINES_GUJ

 

Plz share this post

Leave a Reply