ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ – 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

std 10 science ch7

ધો.10 વિજ્ઞાન નવનીત PDF (ગાઇડ) પ્ર – 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે? (std 10 science ch7) પાઠયપુસ્તકના Intext  તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

Intext પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. DNA પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્ત્વ છે?

ઉત્તર : DNA પ્રતિકૃતિનું પ્રજનનમાં મહત્ત્વ નીચે મુજબ છેઃ (1) પિતૃમાંથી તેમની સંતતિઓમાં આનુવંશિક માહિતીના વહન માટે. (2) DNA માં ફેરફારને કારણે ભિન્નતાઓ સર્જાય છે. પ્રજનનમાં સર્જાતી આ ભિન્નતાઓ જાતિના ઉદ્વિકાસનો આધાર બને છે.

પ્રશ્ન 2. સજીવોમાં ભિન્નતા જાતિઓ માટે તો લાભદાયક છે, પરંતુ વ્યક્તિગત રીતે આવશ્યક નથી. કેમ?

ઉત્તર : પ્રજનનમાં DNA પ્રતિકૃતિનું સર્જન એ મૂળભૂત ઘટના છે. DNA પ્રતિકૃતિના સર્જનની ક્રિયા કેટલીક ભિન્નતાઓ દર્શાવી શકે છે. આ ભિન્નતાઓ વ્યક્તિગત રીતે ઉપયોગી ન પણ હોય, પરંતુ, આ ભિન્નતાઓ લાંબા સમયગાળા માટે એકત્રિત થતી રહે છે અને જાતિમાં ફેરફાર સર્જી શકે છે. આ ફેરફારો ઉદ્વિકાસ પ્રેરી શકે છે.

Intext પ્રશ્નોત્તર

પ્રશ્ન 1 . દ્વિભાજન એ બહુભાજનથી કેવી રીતે ભિન્ન છે?

ઉત્તર : દ્વિભાજન એ ભાજનનો એક પ્રકાર છે. તેમાં પિતૃકોષ બે બાળસજીવ કોષમાં વિભાજન પામે છે. ઉદા. અમીબા, બૅક્ટેરિયા. બહુભાજન પણ ભાજનનો એક પ્રકાર છે. તેમાં એકકોષી સજીવ એક જ સમયે ઘણા બાળકોષોમાં વિભાજન પામે છે. ઉદા. પ્લાઝ્મોડિયમ આમ, એક દ્વિભાજનને અંતે બે બાળસજીવ, જ્યારે એક બહુભાજનને અંતે ઘણા બાળસજીવ એકસાથે ઉત્પન્ન થાય છે.

પ્રશ્ન 2. બીજાણુ દ્વારા પ્રજનનથી સજીવને કેવી રીતે લાભ થાય છે?

ઉત્તર : પ્રતિકૂળ પરિસ્થિતિમાં બીજાણુ જાડી રક્ષણાત્મક દીવાલથી આવરિત રહે છે. તે પ્રતિકૂળ પરિસ્થિતિમાં અસ્તિત્વ જાળવી રાખવા મદદરૂપ છે. બીજાણુ લાંબા અંતર સુધી વિકિરણ પામે છે. અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જ બીજાણુ અંકુરણ પામે છે. આ રીતે બીજાણુ દ્વારા પ્રજનનથી સજીવને લાભ થાય છે.

પ્રશ્ન 3. તે માટેનું કારણ તમે વિચારી શકો કે જટિલ સંરચનાવાળા સજીવો પુનર્જનન દ્વારા નવી સંતતિ શા માટે ઉત્પન્ન કરી શકતા નથી?

ઉત્તર : જટિલ સંરચનાવાળા સજીવો નીચેના કારણોસર પુનર્જનન દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરી શકતા નથી : → જટિલ સજીવોમાં વિવિધ કોષપ્રકારો વિવિધ ચોક્કસ કાર્ય કરે છે. → જટિલ સજીવો પેશીઓ અને અંગો ધરાવે છે. → આ વિશિષ્ટ પેશીઓ અને અંગોને કારણે જટિલ સજીવોમાં પુનર્જનન ક્ષમતા દૂર થઈ જાય છે. → જટિલ સજીવોમાં પ્રજનન પણ વિશિષ્ટ પ્રકારના કાર્યો વડે થાય છે. → જટિલ સજીવોમાં પુનર્જનન માટેના વિશિષ્ટ કોષો હોતા નથી.

પ્રશ્ન 4. કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?

ઉત્તર : કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે (1) બીજ દ્વારા ઉછેરાતી વનસ્પતિઓની સરખામણીમાં વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉછેરાતી વનસ્પતિઓમાં વહેલાં પુષ્પ અને ફળ ધારણ થાય છે. (2) જે વનસ્પતિઓએ બીજનિર્માણ – ક્ષમતા ગુમાવી દીધી હોય, તેમનો પણ ઉછેર કરી શકાય છે. (3) પેઢી – દર – પેઢી ઉપયોગી લક્ષણો જાળવી શકાય છે.

પ્રશ્ન 5. DNA ની પ્રતિકૃતિ બનાવવી પ્રજનન માટેની આવશ્યકતા કેમ છે?

ઉત્તર : DNA પ્રતિકૃતિ બનાવવી પ્રજનન માટેની આવશ્યકતા છે, કારણ કે પિતૃની સમગ્ર જનીનિક માહિતી તેમની બાળપેઢીમાં DNA દ્વારા વહન પામે છે. કોષકેન્દ્રમાં રહેલ DNA પ્રોટીનસંશ્લેષણનો સ્ત્રોત છે. પ્રોટીન શારીરિક સંરચના માટે અગત્યનું છે.

Intext પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. પરાગનયનની ક્રિયા એ ફલનની ક્રિયાથી કેવી રીતે ભિન્ન છે?

ઉત્તર : પરાગનયન એ પુંકેસરના પરાગાશયથી સ્રીકેસરના પરાગાસન સુધી પરાગરજના સ્થળાંતરની ક્રિયા છે. ફલન એ નર જનનકોષની માદા જનનકોષ સાથે સંમિલનની ક્રિયા છે.

પ્રશ્ન 2. શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા શું છે?

ઉત્તર : પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રાશયના સ્ત્રાવ શુક્રકોષોના સ્થળાંતરણને સરળ બનાવે છે તેમજ શુક્રકોષોને પોષણ આપે છે.

પ્રશ્ન 3. યૌવનારંભના સમયે છોકરીઓમાં કયાં પરિવર્તનો જોવા મળે છે?

ઉત્તર : યૌવનારંભના સમયે છોકરીઓમાં સ્તનગ્રંથિના કદમાં વધારો થાય છે. સ્તનાગ્રની ત્વચાનો રંગ ઘેરો બને છે. માસિક ચક્ર શરૂ થાય છે.

પ્રશ્ન 4. માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ કેવી રીતે પ્રાપ્ત થાય છે?

ઉત્તર : માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ જરાયુ વડે પ્રાપ્ત થાય છે. જરાયુની ભ્રૂણ તરફની પેશીમાં આવેલા રસાંકુર પ્રવર્ષો દ્વારા ભ્રૂણ માતાના શરીરમાંથી ગ્લુકોઝ, ઑક્સિજન અને અન્ય પદાર્થો મેળવે છે.

પ્રશ્ન 5. જો કોઈ સ્ત્રી કૉપર- T નો ઉપયોગ કરી રહી છે, તો શું આ તેણીનું જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ કરશે?

ઉત્તર : ના, કૉપર- T નો ઉપયોગ કરતી સ્ત્રીને જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ મળી શકે નહીં; કારણ કે જાતીય સમાગમ દરમિયાન પુરુષ અને સ્ત્રી – શરીરના પ્રવાહી શિશ્ન અને યોનિમાર્ગ વડે સીધા સંપર્કમાં આવે છે.

સ્વાઘ્યાયના પ્રશ્નોત્તર

1. _____ માં અલિંગી પ્રજનન કલિકાસર્જન દ્વારા થાય છે?

(a) અમીબા (b) યીસ્ટ (c) પ્લાઝ્મોડિયમ (d) લેશમાનિયા

ઉત્તર : (b) યીસ્ટ

2. નીચે આપેલ પૈકી ક્યું માનવ માદા પ્રજનનતંત્રનો ભાગ નથી?

(a) અંડાશય (b) ગર્ભાશય (c) શુક્રવાહિકા (d) અંડવાહિની

ઉત્તર : (c) શુક્રવાહિકા

૩. પરાગાશયમાં _____ હોય છે.

(a) વજપત્ર (b) અંડાશય (c) સ્રીકેસર (d) પરાગરજ

ઉત્તર : (d) પરાગરજ

4. અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનનથી શું લાભ થાય છે?

ઉત્તર : અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનનથી નીચેના લાભ થાય છેઃ (1) લિંગી પ્રજનનમાં નર અને માદા પિતૃના અનુક્રમે નર અને માદા જનનકોષ સંમિલન પામી ફલિતાંડ(યુગ્મનજ) ની રચના કરે છે. આમ, સંતતિ બાળપેઢીને બે જુદા જુદા પિતૃના DNA પ્રાપ્ત થતાં ભિન્નતા જોવા મળે છે. (2) લિંગી પ્રજનનમાં જનનકોષના નિર્માણનો સમાવેશ થાય છે. નર અને માદા જનનકોષના નિર્માણ દરમિયાન અર્ધસૂત્રીભાજન થાય છે. આ ક્રિયા દરમિયાન જનીનોનાં નવાં જોડાણ રચાય છે. તે ભિન્નતા તરફ દોરી જાય છે. બે પિતૃઓની સંયુક્ત ભિન્નતાઓ નવાં જોડાણ ધરાવતા પરિવર્તકો રચે છે. (3) લિંગી પ્રજનનમાં પેઢી – દર – પેઢી ભિન્નતા સર્જાય છે. તે જાતિના અસ્તિત્વ માટે ઉપયોગી છે.(4) લિંગી પ્રજનન દરમિયાન એકત્રિત થતી ભિન્નતાઓ લાંબા ગાળે ઉગ્નિકાસનું કારણ બને છે .

5. માનવના શુક્રપિંડનું કાર્ય શું છે?

ઉત્તર : માનવના શુક્રપિંડનું કાર્ય :(1) શુક્રકોષોનું ઉત્પાદન અને (2) ટેસ્ટોસ્ટેરોનનો સ્રાવ.

6. ઋતુસ્રાવ શા માટે થાય છે?

ઉત્તર : જ્યારે અંડકોષનું ફલન ન થાય ત્યારે ગર્ભાશયની અંદરની જાડી, છિદ્રિષ્ટ અને પુષ્કળ રુધિર – પુરવઠાસભર દીવાલ તૂટવા લાગે છે. તેના કારણે સ્ત્રીમાં ઋતુસ્રાવ થાય છે.

7. પુષ્પના આયામ છેદની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો .

ઉત્તર :

8. ગર્ભનિરોધનની વિવિધ રીતો કઈ છે?

ઉત્તર : (1) યાંત્રિક અવરોધન:- પુરુષમાં નિરોધ, સ્ત્રીમાં યોનિમાર્ગનું ઢાંકણ અને કૉ૫૨- T (2) રાસાયણિક અવરોધન :- સ્ત્રી માટે ગર્ભનિરોધક ગોળીઓ (3) શસ્ત્રક્રિયા :- શસ્ત્રક્રિયા દ્વારા શુક્રવાહિની અને અંડવાહિની બંધ કરવી

9. એકકોષીય અને બહુકોષીય સજીવોની પ્રજનન પદ્ધતિમાં શું તફાવત છે?

ઉત્તર : એકકોષીય સજીવો સરળ કોષવિભાજન એટલે કે ભાજન પદ્ધતિ વડે પ્રજનન દર્શાવે છે . જ્યારે બહુકોષીય સજીવો જટિલ શરીર – સંરચના ધરાવતા હોવાથી વધુ જટિલ પ્રજનન પદ્ધતિ અર્થાત્ લિંગી પ્રજનન પદ્ધતિ દર્શાવે છે.

10. પ્રજનન કોઈ જાતિની વસતિની સ્થાયિતામાં કેવી રીતે મદદરૂપ થાય છે?

ઉત્તર : પ્રજનન દ્વારા નવી સંતતિનું નિર્માણ થાય છે. કોઈ સજીવ અમર નથી. ઊંચો મૃત્યુદર વસતિનું કદ ઘટાડે છે. વસતિના જન્મદર અને મૃત્યુદર વડે તેનું કદ નક્કી થાય છે. તેથી પ્રજનનક્રિયા દ્વારા સજીવો તેમની વસતિનો વધારો કરે છે, જે જાતિની વસતિની સ્થાયિતામાં મદદરૂપ થાય છે.

11. ગર્ભનિરોધક યુક્તિઓ કે સાધનો અપનાવવાનાં કયાં કારણ હોઈ શકે છે?

ઉત્તર : ગર્ભનિરોધક યુક્તિઓ કે સાધનો અપનાવવાનાં કારણો :(1) અનિચ્છિત ગર્ભધારણ રોકવા માટે  (2) માનવવસતિના નિયંત્રણ માટે (3) જાતીય સંક્રમિત રોગોનો ફેલાવો અટકાવવા માટે

 


ધો.10 વિજ્ઞાન નવનીત(ગાઇડ) :- પાઠયપુસ્તકના Intext  તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  જોવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

પ્ર -1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો 

Plz share this post

Leave a Reply