ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે વિદ્યાપ્રવેશ – સ્વઅધ્યયનપોથી.

ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે વિદ્યાપ્રવેશ – સ્વઅધ્યયનપોથી (std 9 swa adhyayanpothi)ના ઉપયોગ બાબત.

NCERT દિલ્હી દ્વારા આપવામાં આવેલા નિર્દેશ મુજબ ધોરણ 9 માં પ્રવેશ લીધેલા વિદ્યાર્થીઓને ‘વિદ્યાપ્રવેશ’ કાર્યક્રમ યોજવાનું આયોજન છે. આ માટે સમગ્ર શિક્ષા દ્વારા ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષય માટેનું ‘વિદ્યાપ્રવેશ’ અંતર્ગત (std 9 swa adhyayanpothi) સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે.

આ સાહિત્યનો ઉપયોગ કરીને સંલગ્ન વિષય શિક્ષકે વિદ્યાર્થીઓને ધોરણ 9 માં અભ્યાસ માટે તૈયાર કરવાના છે. સદર સાહિત્યમાં વિદ્યાર્થીઓ માટે ધોરણ 9 નો અભ્યાસ શરૂ કરવા માટે જરૂરી પૂર્વજ્ઞાન પાકું કરવા સમજ, ઉદાહરણો અને મહાવરો આપવામાં આવ્યા છે. અધ્યયન નિષ્પત્તિઓના આધારે વિદ્યાર્થીઓને સંકલ્પનાઓના સ્પષ્ટીકરણ અર્થે મહાવરો પુનરાવર્તન કરાવવાનું છે.

ધોરણ 9 વિદ્યાપ્રવેશ પુસ્તિકામાં જ જે તે વિષયની સ્વઅધ્યયનપોથી (std 9 swa adhyayanpothi)નો સમાવેશ કરવામાં આવેલ છે. આથી સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષકો દ્વારા જે તે એકમનું અધ્યયનકાર્ય પૂર્ણ થયા બાદ આ સ્વઅધ્યયનપોથીમાં વિદ્યાર્થીઓ તે એકમનો મહાવરો / લેખન કરી શકે છે.

std 9 swa adhyayanpothi

આપણે વર્ચ્યુઅલ રીતે આપણું શિક્ષણકાર્ય સાતત્યપૂર્ણ રીતે થાય એવા શુભાશયથી ધોરણ ૧ થી ૧૨ સુધીના સમગ્ર અભ્યાસક્રમને એપિસોડ (તાસ)માં વિભાજિત કરીને દૂરદર્શન કેન્દ્રની ડી.ડી. ગિરનાર ચેનલ તેમજ બાયસેગ મારફતે શિક્ષણ ઘરે -ઘરે પહોંચે તેવા પ્રામાણિક પ્રયત્નો કરવામાં આવ્યાં.

સાથે – સાથે શિક્ષકમિત્રો દ્વારા સમયાંતરે સ્માર્ટ ફોન દ્વારા શિક્ષણ, ઘરે – ઘરે વાલી વિદ્યાર્થીઓનો સંપર્ક કરી ને પાઠ્યપુસ્તક વિતરણ, એકમ કસોટી, નિદાન કસોટી, શેરીશિક્ષણ તેમજ વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા પ્રત્યક્ષ શૈક્ષણિક માર્ગદર્શન આપવાના સાર્થક પ્રયાસો કરવામાં આવ્યા. ગુજરાત વર્ચ્યુઅલ શાળા (GVS) અંતર્ગત ઓન લાઈન ક્લાસ પણ ચલાવવામાં આવ્યા.

હોમલર્નિગ અંતર્ગત આ તમામ સામગ્રી સમગ્ર શિક્ષા, ગાંધીનગરની વેબસાઈટ, Diksha પ્લેટફોર્મ અને ગુજરાત ઈ ક્લાસ સમગ્ર શિક્ષા યુ-ટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે. તેનાથી આપ સૌ અવગત છો.

આ ‘જ્ઞાનસેતુ’ સાહિત્યમાં આપે ગત વર્ષ દરમિયાન પોતાના ધોરણનું શિક્ષણ હોમ લર્નિંગ અને અન્ય માધ્યમથી પ્રાપ્ત કર્યું છે. ત્યારે તેને બળવત્તર બનાવવાના હેતુથી આ સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં આપવામાં આવેલ પ્રશ્નો, દાખલા અને ઉકેલ જેવી બાબતોનું લેખન કરવાનું છે. જ્યાં જરૂર જણાય ત્યાં પોતાની નોટબૂકમાં લખવાનું – ગણવાનું રહેશે.

આગામી નવીન શૈક્ષણિક સત્ર જ્યારે શરૂ થાય ત્યારે આ ‘જ્ઞાનસેતુ’ સાહિત્ય અને તેને આધારે વિદ્યાર્થીઓએ કરેલ લેખનની નોટબૂક આપના શિક્ષકો દ્વારા ચકાસી જરૂરી ઉપચારાત્મક કાર્ય પણ કરાવવામાં આવશે. આ ‘જ્ઞાનસેતુ’ સાહિત્ય વિદ્યાર્થીઓ માટે તેમને પ્રાપ્ત કરેલ જ્ઞાન અને શીખવાના જ્ઞાન વચ્ચે મહત્વના સેતુરૂપ બની રહેશે.

વિદ્યાપ્રવેશ, સ્વઅધ્યયનપોથી (std 9 swa adhyayanpothi)ની સોફ્ટકોપી ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક ક્લિક કરો.

ગુજરાતી માટે અહી ક્લિક કરો.

ગણિત માટે અહી ક્લિક કરો.

વિજ્ઞાન માટે અહી ક્લિક કરો.

અંગ્રેજી માટે અહી ક્લિક કરો.


ધોરણ 9 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો.( STD 9 TEXTBOOK GSEB )


ધોરણ 9 તમામ એકમ કસોટીના પ્રશ્નપત્રો અને સોલ્યુશન (વર્ષ 2020-21)


ધોરણ – 9 :- હોમ લર્નિગ – પૂરક સાહિત્ય ( એક્ઝામ્પલર ) એક જ ક્લિકમા ડાઉનલોડ કરો.


નવો ૩૦% ઘટાડેલ અભ્યાસક્રમ ધોરણ – ૯ થી ૧૨ માટે (એક જ ક્લિકમા પી.ડી.એફ. ફાઇલ ડાઉનલોડ કરો.)


ધો.9 ના તમામ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ (વર્ષ 2020 – 21 માટે )


ધો.9 જ્ઞાનસેતુ(બ્રીજ કોર્ષ કલાસ રેડીનેશ) વિષય:- ગણિત,ગુજરાતી,અંગ્રેજી

Plz share this post

Leave a Reply