ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-13 ઉત્પાદન ઉદ્યોગો

std10 social science ch13

ધો.10 સામાજિક વિજ્ઞાન ગાઇડ પ્ર – 13 ઉત્પાદન ઉદ્યોગો (std10 social science ch13) પાઠયપુસ્તકના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર જોવા મળશે.std10 social science ch13

1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો.

std10 social science ch13

(1) ખાંડ તથા ખાંડસરીનાં કારખાનાં કયાં સ્થપાયાં છે ? શા માટે ?

ઉત્તર:- ભારતમાં ખાંડ અને ખાંડસરી બનાવવાનાં કારખાનાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં સ્થપાયા છે.

→ શેરડી વજનમાં ભારે છે અને બગડી જવાનો ગુણ ધરાવે છે. કપાયા પછી તે સુકાવા લાગે છે અને તેમાં સાકરનું પ્રમાણ ઘટવા લાગે છે. આથી કપાયાના 24 કલાકમાં જ તેનું પિલાણ કરવું જરૂરી બને છે. આ કારણે ખાંડનાં કારખાનાં શેરડી-ઉત્પાદક ક્ષેત્રોમાં જ સ્થાપવામાં આવે છે.

(2) ભારતના લોખંડ-પોલાદ ઉદ્યોગ વિશે ટૂંકનોંધ લખો.

ઉત્તર :- ભારતનો લોખંડ અને પોલાદનો ઉદ્યોગ ચાવીરૂપ ઉદ્યોગ. આ ઉદ્યોગના ઉત્પાદનમાંથી યંત્રો, ઓજારો અને યંત્રોના નાના-મોટા ભાગો બનાવવામાં આવે છે. 

→  ભારતમાં લોખંડ બનાવવાનો વ્યવસાય ઘણો જૂનો છે. સીરિયાના + માસ્કસ શહેરમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી.

→ ભારતમાં લોખંડ અને પોલાદનું પ્રથમ કારખાનું તમિલનાડુમાં પોર્ટોનોવા નામના સ્થળે 1890માં સ્થાપવામાં આવ્યું હતું, પણ કેટલાંક કારણોસર તે બંધ પડી ગયું. ત્યારપછી 1864માં પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે જે કારખાનું સ્થપાયું તે આજે પણ ચાલુ છે.

→ લોખંડ અને પોલાદનું મોટા પાયા પરનું ઉત્પાદન કરતું ઝારખંડનું જમશેદપુરનું કારખાનું 1907માં શરૂ થયું. ત્યારપછી પશ્ચિમ બંગાળમાં બર્નપુર અને કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે પોલાદનાં કારખાનાં સ્થપાયાં.

→ સ્વાતંત્ર્ય બાદ દેશમાં ભિલાઈ, બોકારો, રાઉકેલા, દુર્ગાપુર, વિશાખાપટ્નમ, સેલમ વગેરે સ્થળે આધુનિક અને મોટાં કારખાનાં સ્થપાયાં.

→ લોખંડ-પોલાદ ઉદ્યોગ ભારે ઉદ્યોગ છે. તેમાં કાચા માલ તરીકે લોહઅયસ્ક, કોલસો, ચૂનાનો પથ્થર અને મેંગેનીઝની કાચી ધાતુ વપરાય છે.

→ ગુજરાતમાં હજીરા પાસે મીની સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.

→ ટાટા સિવાયનાં ભારતનાં લોખંડ-પોલાદનાં બધાં કારખાનાંનો વહીવટ સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ’ (Steel Authority of India Limited – SAIL) હસ્તક છે.

→  લોખંડ-પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન પાંચમું છે.

(3) ઉદ્યોગોના મહત્ત્વ ૫૨ ટૂંકનોંધ લખો.

ઉત્તર :- ઉદ્યોગોનું મહત્ત્વ નીચે પ્રમાણે છે : → દરેક રાષ્ટ્રની પ્રગતિ ઉદ્યોગોના વિકાસ પર આધારિત છે. → ઔદ્યોગિક વિકાસ વિના આર્થિક વિકાસ સાધી શકાતો નથી. 

→ ઔદ્યોગિક વિકાસથી દેશની અર્થવ્યવસ્થા ઘણી મજબૂત બને છે. દા. ત., યુ.એસ.એ., રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા વગેરે દેશો ઔદ્યોગિક વિકાસ સાધીને સમૃદ્ધ અને વિકસિત દેશો બન્યા છે.

→ જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે તે દેશો કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી. એ દેશોએ પોતાનાં કુદરતી સંસાધનોને ઓછા મૂલ્યે વેચીને તે જ કાચા માલમાંથી બનેલી વસ્તુઓ મોંઘા ભાવે વિદેશો પાસેથી ખરીદવી પડે છે. પરિણામે તેઓ ઔદ્યોગિક વિકાસ સાધી શકતા નથી. તેમનો આર્થિક વિકાસ રુંધાઈ જાય છે.

→ દેશમાં ઉદ્યોગો સ્થાપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે અને લોકોનું જીવનધોરણ ઊંચું આવે છે.

→ ઉદ્યોગોમાં રોજગારી મળવાથી લોકોનું જીવનધોરણ સુધરે છે.

→ ઉદ્યોગોમાં કામ કરતા લોકોનું તનિકી જ્ઞાન વધે છે. તે સાથે તેમની ઉત્પાદન ક્ષમતા, આવક અને ખરીદશક્તિ પણ વધે છે. આમ થવાથી રાષ્ટ્રનો આર્થિક વિકાસ થાય છે.

 → ભારતમાં રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદનના ઉદ્યોગોનો ફાળો લગભગ 29% જેટલો છે, જે ઉદ્યોગોનું મહત્ત્વ દર્શાવે છે.

(4) સુતરાઉ કાપડ ઉદ્યોગ વિશે નોંધ લખો.

ઉત્તર :- ભારતના સુતરાઉ કાપડના ઉદ્યોગની મુખ્ય વિગતો નીચે પ્રમાણે છે :

→ ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ મુખ્ય છે. તે ભારતનો સૌથી વધુ રોજગારી આપતો અને ઉત્પાદન કરતો ઉદ્યોગ છે. તે દેશના લગભગ 3.5 કરોડ લોકોને રોજગારી આપે છે.

→ ભારતમાં સૌપ્રથમ મુંબઈમાં સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ. એ પછી ગુજરાતમાં અમદાવાદમાં શાહપુર મિલ અને કેલિકો મિલ સ્થપાઈ.

→ શરૂઆતમાં મોટા ભાગની મિલો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થપાઈ હતી, કારણ કે આ પ્રદેશોમાં કપાસનું મોટું ઉત્પાદન અને વિશાળ બજાર હતાં. વળી, અહીં મજૂરો, કારીગરો, વિદ્યુત, બૅન્ક, નિકાસ માટે બંદ૨, ભેજવાળી આબોહવા અને પરિવહનની સારી સગવડો ઉપલબ્ધ હતી. પછીથી આ ઉદ્યોગ વિકસીને અન્ય ઉત્પાદન રાજ્યોમાં પણ ફેલાયો. આજે સુતરાઉ કાપડની મિલો દેશના લગભગ 100 શહેરોમાં આવેલી છે.

→ આજે દેશની મોટા ભાગની મિલો મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં કેન્દ્રિત થયેલી છે.

→ મહારાષ્ટ્રમાં મુંબઈમાં સૌથી વધારે મિલો આવેલી છે. તેથી તે સુતરાઉ કાપડનું ‘વિશ્વમહાનગર’ (Cottonopolis of Indla) કહેવાય છે. આ ઉપરાંત, પુણે, કોલ્હાપુર, ભિવંડી, ઔરંગાબાદ, જલગાંવ, સોલાપુર અને નાગપુર; ગુજરાતમાં અમદાવાદ, સુરત, ક્લોલ, ભરૂચ, પોરબંદર, ભાવનગર, રાજકોટ અને વડોદરા; તમિલનાડુમાં કોઈમ્બતૂર, ચેન્નઈ અને મદુરાઈ; પશ્ચિમ બંગાળમાં કોલકાતા, હાવડા, મુર્શિદાબાદ અને શ્રીરામપુર; ઉત્તર પ્રદેશમાં કાનપુર, આગરા, ઇટાવા, લખનઉ અને મોદીનગર તથા મધ્ય પ્રદેશમાં ગ્વાલિયર, ઇંદોર, ઉજ્જૈન અને દેવાસ આ ઉદ્યોગનાં મહત્ત્વનાં કેન્દ્રો છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં પણ સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે.

→ ગુજરાતમાં અમદાવાદને ‘પૂર્વનું માન્ચેસ્ટર’ અને ‘ડેનિમ સિટી ઑફ ઇન્ડિયા’ પણ કહે છે.

→ આ ઉદ્યોગ આજે ઊંચી જાતના કપાસની અછત, જૂનાં યંત્રોનો ઉપયોગ, અનિયમિત વીજ-પુરવઠો, શ્રમિકોની ઓછી ઉત્પાદકતા, કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા, વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધા વગેરે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.

→ ભારત અનેક દેશોમાં સુતરાઉ કાપડ અને વસ્ત્રોની નિકાસ કરે છે. રશિયા, યૂ.કે., યુ.એસ.એ., સુદાન, નેપાલ, ફ્રાન્સ, ઑસ્ટ્રેલિયા તથા દક્ષિણ આફ્રિકાના દેશો તેના મુખ્ય ગ્રાહકો છે.

→ સુતરાઉ કાપડની નિકાસમાં વિશ્વમાં ચીન પછી ભારત દ્વિતીય સ્થાન ધરાવે છે.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો.

std10 social science ch13

(1) પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો લખો.

ઉત્તર :- ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, દાવાનળ, ભૂપ્રપાત, પૂર, ચક્રવાત, ત્સુનામી જેવાં કુદરતી પરિબળો અને માનવસર્જિત કારણોની અસરથી પર્યાવરણનાં જળ, જમીન અને વાયુ પ્રદૂષિત થઈ પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થવાની ઘટના ‘પર્યાવરણીય અતિક્રમણ’ કહેવાય છે.

પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો નીચે મુજબ છેઃ

( 1 ) ઔઘોગિક વિકાસનું યોગ્ય આયોજન અને ઉપકરણોની ગુણવત્તા : પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને રહેણાક વિસ્તારથી દૂર યોગ્ય સ્થાને સ્થાપીને, સારાં યંત્રો અને ઉપકરણો વસાવીને તથા તેમનું કુશળ સંચાલન કરીને પ્રદૂષણ ઘટાડી શકાય છે.

( 2 ) ઈંધણની યોગ્ય પસંદગી : ઈંધણની યોગ્ય પસંદગી અને તેના ઉચિત ઉપયોગથી હવા-પ્રદૂષણ ઓછું કરી શકાય છે. દા. ત., ઉદ્યોગોમાં કોલસાની જગ્યાએ ખનીજ તેલના ઉપયોગથી ધુમાડો રોકી શકાય છે.

(૩) હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષકોને ફિલ્ટર, પ્રેસિપિટેટર અને સ્ક્રબર જેવાં સાધનોની મદદથી હવામાં જતા રોકી શકાય છે.

( 4 ) ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત જળને નદીઓમાં છોડતાં પહેલાં તેનું શુદ્ધીકરણ કરવાથી જળ-પ્રદૂષણ ઘટાડી શકાય છે.

( 5 ) ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને વિવિધ પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ કરી તેને નદીમાં છોડવા યોગ્ય બનાવવામાં આવે છે.

( 6 ) જમીન અને ભૂમિનું પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે ત્રણ પ્રવૃત્તિઓ મહત્ત્વની છે : (1) વિભિન્ન સ્થળોથી કચરો એકઠો કરવો, (2) પુનઃ ચક્રીય કચરાને અલગ પાડી તેને ઉપયોગી બનાવવો અને (૩) બાકીના કચરાને જમીન-ભરણી માટે વાપરી તેનો નિકાલ કરવો.

(2) ઉદ્યોગોનું વર્ગીકરણ વર્ણવો.

ઉત્તર:- શ્રમિકોની સંખ્યા (માનવશ્રમ), માલિકીનું ધોરણ અને કાચા માલના સ્રોતના આધારે ઉદ્યોગોને નીચે દર્શાવેલ જૂથમાં વહેંચવામાં આવે છે :

( 1 ) શ્રમિકોની સંખ્યાના આધારે ઉદ્યોગોના બે જૂથ બનાવી શકાય : મોટા પાયા પરના ઉદ્યોગો અને નાના પાયા પરના ઉદ્યોગો. જે ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા મોટી હોય (વધુ રોજગારી મળે) તે ઉદ્યોગો મોટા પાયા પરના ઉદ્યોગો ગણાય છે. દા. ત., સુતરાઉ કાપડનો ઉદ્યોગ. જે ઉદ્યોગોમાં નાનો ઉદ્યોગપતિ ઓછા કામદારોને રોકીને સામાન્ય ઉત્પાદન કરતો હોય તે ઉદ્યોગો નાના પાયા પરના ઉદ્યોગો ગણાય છે. દા. ત., ખાંડસરી ઉદ્યોગ.

( 2 ) માલિકીના આધારે ઉદ્યોગોને ખાનગી, જાહેર, સંયુક્ત અને સહકારી જૂથોમાં વહેંચી શકાય. અંબાણી, ટાટા, બિરલા, બજાજ વગેરે જૂથોની કંપનીઓના ઉદ્યોગો ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો છે. ભિલાઈનો પોલાદ ઉદ્યોગ અને હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે, જેનાં માલિકી અને વ્યવસ્થાપન સરકાર હસ્તક છે. ઓઇલ ઇન્ડિયા લિમિટેડ (OIL) જાહેર અને ખાનગી ક્ષેત્રોનું સંયુક્ત સાહસ છે. કેટલીક ખાંડની મિલો અને દૂધ-ઉત્પાદક ડેરી સહકારી મંડળીઓ દ્વારા ચલાવવામાં આવે છે.

(૩) કાચા માલના સ્રોતના આધારે ઉદ્યોગોને કૃષિ-આધારિત અને ખનીજ-આધારિત જૂથોમાં વહેંચી શકાય. સુતરાઉ કાપડ, રેશમી કાપડ, શણ, ઊની કાપડ, કાગળ, ખાંડ, ખાદ્ય તેલ વગેરે બનાવવાના ઉદ્યોગો કૃષિ-આધારિત છે; જ્યારે લોખંડ-પોલાદ, સિમેન્ટ, કાચ વગેરે બનાવવાના ઉદ્યોગો ઍલ્યુમિનિયમ, તાંબું, રસાયણ, ખાતર, પરિવહન ઉપકરણો અને ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગ ખનીજ-આધારિત છે

3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો.

std10 social science ch13

(1) ભારતમાં જહાજ બાંધવાનાં મુખ્ય કેટલાં કેન્દ્રો છે ? તે કયાં આવેલાં છે ?

ઉત્તર :- ભારતમાં જહાજ બાંધવાનાં મુખ્ય પાંચ કેન્દ્રો છે તે (1) વિશાખાપટ્નમ, (2) કોલકાતા, (3) રાંચી, (4) મુંબઈ અને (5) માર્માગોવામાં આવેલાં છે.

(2) સિમેન્ટ બનાવવા માટે કયા કાચા માલની જરૂર પડે છે ?

ઉત્તર :- સિમેન્ટ બનાવવા માટે ચૂનાનો પથ્થ૨, કોલસો, ચિરોડી, બૉક્સાઇટ, ચીકણી માટી વગેરે કાચા માલની જરૂર પડે છે.

(3) ગુજરાતના રાસાયણિક ખાતરોના ઉદ્યોગો કયાં સ્થાપિત થયેલા છે ? 

ઉત્તર :- ગુજરાતમાં રાસાયણિક ખાતરોના ઉદ્યોગો કલોલ, કંડલા, ભરૂચ, હજીરા, વડોદરા વગેરે સ્થળોએ સ્થાપિત થયેલા છે.

(4) ગુજરાતના કાગળ ઉદ્યોગનાં ચાર કેન્દ્ર જણાવો.

ઉત્તર :- ગુજરાતના કાગળ ઉદ્યોગનાં કેન્દ્રો : અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ અને વડોદરા.

4. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :

std10 social science ch13

(1) નીચેનાં નગરોમાંથી ક્યા નગરને સુતરાઉ કાપડનું વિશ્વમહાનગર કહે છે ?

(A) ઈંદોર

(B) મુંબઈ

(C)  અમદાવાદ

(D) નાગપુર

ઉત્તર :- (B) મુંબઈ

(2) વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો ક્રમ ક્યો છે ?

(A) દ્વિતીય

(B) પ્રથમ

(C) તૃતીય

(D) એક પણ નહિ

ઉત્તર :- (A) દ્વિતીય

(3) ભારતનું ક્યું નગર ‘સિલિકોન વેલી’ તરીકે જાણીતું બન્યું છે ?

(A) દિલ્લી

(B) બેંગાલુરુ

(C)  જયપુર

(D) નાગપુર

ઉત્તર :-  (B) બેંગાલુરુ

(4) ગુજરાતમાં મીની સ્ટીલ પ્લાન્ટ ક્યાં પ્રસ્થાપિત થયો છે ?

(A) કંડલા

(B) ઓખા

(C) દ્વારકા

(D) હજીરા

ઉત્તર :-  (D) હજીરા

(5) નીચેનામાં કઈ જોડી ખોટી છે ?

(A) બંગાળ-કુલ્ટી

(B) ઝારખંડ-જમશેદપુર

(C) કર્ણાટક-ભદ્રાવતી

(D) આંધ્રપ્રદેશ-બર્નપુર

ઉત્તર :- (D) આંધ્રપ્રદેશ-બર્નપુર


આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

પ્ર-1 ભારતનો વારસો

પ્ર-2 ભારતનો સાંસ્કૃતિક વારસો: પરંપરાઓ: હસ્ત અને લલિતકલા

પ્ર – 3 ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય

પ્ર – 4 ભારતનો સાહિત્યિક વારસો

પ્ર – 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વારસો

પ્ર – 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો

પ્રકરણ-7 આપણા વારસાનું જતન

પ્રકરણ – 8 કુદરતી સંસાધનો

પ્રકરણ-9 વન અને વન્યજીવ સંસાધન

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ -10 ભારત – કૃષિ


વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1 MCQ-2

ધો.10 સામાજિક વિજ્ઞાન :- પ્રકરણ-1 :- જોડકાં જોડો.

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1  સાચુ કે ખોટું

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1MCQ

ધોરણ – 10 સામાજિક વિજ્ઞાન : પ્રકરણ – ૮ કુદરતી સંશાધનો :- સાચુ કે ખોટું

ધો.10 સામાજિક વિજ્ઞાન :- પ્રકરણ-૮ કુદરતી સંશાધનો :- જોડકાં જોડો.જમીન અને તેમા થતા પાક

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ- ૮ કુદરતી સંશાધનો MCQ – 2
ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ- ૮ કુદરતી સંશાધનો MCQ – 1

બોર્ડની વાર્ષિક પરીક્ષાનુ નમૂનાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.

માર્ચ-૨૦૨૦ માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.


STD 10 QUESTIONS PAPER GUJARATI MEDIUM CLICK HERE


ધો.10 ના તમામ વિષયોનુ સ્ટડી મટીરીયલ, પ્રશ્નપત્ર પરિરૂપ,એકમ કસોટી પ્રશ્નપત્ર,ક્વિઝ એક જ ક્લિક માંં


 

Plz share this post

Leave a Reply